
ક્રિકેટ જગતમાં વૈભવ સૂર્યવંશી એક એવુ નામ છે જેણે ઓછા ટાઈમમાં બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પોતાની મહેનત અને લગનને કારણે વૈભવ સૂર્યવંશીએ આ IPLમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ત્યારબાદ તેના પર ઈનામોની વણઝાર વરસી છે. સાથે જ તેને અનેક વિજ્ઞાપન પણ મળ્યા છે.
વૈભવે IPL અને એન્ડોર્સમેન્ટથી લગભગ 7 કરોડ રૂપિયાની અનુમાનિત નેટવર્થ બનાવી લીધી છે. જો કે ઈનકમટક્સ ભરવાનો સમય આવી ગયો છે ત્યારે સવાલ એ છે કે શું ભારતમાં કોઈ સગીર (અંડર-18) ની કમાણી પર કોઈ ઈનકમટેક્સ લાગે છે? જો હા તો તેના નિયમ શું છે? જો વૈભવ સૂર્યવંશીએ ઈનકમટેક્સ ફાઈલ કરવો પડ્યો તો તેને ટેક્સ તરીકે કેટલી રકમ ભરવી પડશે.
ભારતીય ઈનકમ ટેક્સ કાયદા અનુસાર સગીરની કમાણી પર ટેક્સ લગાવવાનો નિયમ સામાન્ય વયસ્ક વ્યક્તિની તુલનાએ ઘણો અલગ છે. આવકવેરા અધિનિયમ ની કલમ 64 (1A) અનુસાર કોઈ સગીર ની કમાણીને તેની ખુદની કમાણી નથી ગણવામાં આવતી.
સગીરની પેસિવ ઈનકમ (બેંક એકાઉન્ટનું વ્યાજ. ફિક્સ્ડ ડિપોઝીટ કે માતાપિતા દ્વારા તેના પર કરાયેલા રોકાણથી થનારી કમાણી) ને માતાપિતામાંથી એ વ્યક્તિની કમાણી સાથે ક્લબ કરી દેવામાં આવી છે. જેની વાર્ષિક આવક વધુ હોય છે.
આવી સ્થિતિમાં પેરેન્ટ જ તેની ટેક્સ સ્લેબ અનુસાર એ કમાણી પર ટેક્સ ચુકવે છે
ઈનકમ ટેક્સની કલમ 10(32) અંતર્ગત, પેરેન્ટને પ્રતિ સગીર બાળકની ક્લબ કરાયેલી કમાણી પર વાર્ષિક 1500 રૂપિયાની ટેક્સ છૂટ મળે છે.
મિન્ટ અનુસાર કાયદામાં એક બહુ મોટો અને મહત્વપૂર્ણ અપવાદ છે. જો કોઈ સગીર તેની ખુદની પ્રતિભા, હુનર, વિશેષ જ્ઞાન, અનુભવ કે શારીરિક શ્રમથી પૈસા કમાય છે તો તેની ઈનકમ માતાપિતાની ઈનકમ સાથે જોડવામાં નથી આવતી. વૈભવ સૂર્યવંશી પર આ નિયમ લાગુ નથી થતો.
જો કે વૈભવ સૂર્યવંશીની કમાણી IPL કોન્ટ્રાક્ટ, મેચ ફીસ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રાઈઝ દ્વારા આવે છે જે તેની ક્રિકેટીંગ સ્કિલ અને મહેનતનું ફળ છે. એવામાં આ પુરી કમાણી સીધી તેના નામ પર ટેક્સ ભરવાપાત્ર થશે. વૈભવ સહિત તેના જેવા એવા સગીરો(Minor) જેઓ પોતાના હુનરથી કરડો રૂપિયા કમાય છે. તેમને ટેક્સપેયર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને એક સામાન્ય નાગરિકની જેમ જ ટેક્સ સ્લેબના રેટ્સ અનુસાર ટેક્સ ભરવાનો હોય છે. વૈભવ સૂર્યવંશીને પણ સામાન્ય નાગરિકની જેમ ઈનકમટેક્સ ભરવો પડશે.
સ્પોર્ટ્સ કે કોમર્શિયલ એક્ટિવિટીઝ થી થનારી કમાણી સામાન્ય રીતે બિઝનેસ કે પ્રોફેશનના લાભ અને ગેન્સ (PGBP) અનુસાર બતાવવામાં આવે છે. તેના માટે સામાન્ય રીતે ITR-3 કે ITR-4 ફોર્મનો ઉપયોગ કરવાનો હોય છે. વૈભવને ઈનકમટેક્સ કાયદામાં નિર્ધારીત સ્લેબ અનુસાર ટેક્સ ભરવો પડશે. આ પ્રકારે તેની ઈનકમનો 30% ટેક્સ તેને ભરવો પડે.
જો કે સગીર વ્યક્તિ કાયદાકીય રીતે કોન્ટ્રેક્ટ સાઈન કરવા માટે કે ખુદ રિટર્ન ભરવા માટે અધિકૃત નથી હોતા. આના માટે તેના માતાપિતા કે તેમના વડીલ કે પ્રતિનિધિ નિર્ધારિત Representative Assesses)ના રૂપે તેમના નામ પર રિટર્ન ભરવો પડે છે.
Published On - 5:57 pm, Fri, 5 June 26