મિતાલી રાજની જગ્યાએ વન-ડેમાં સુકાની બન્યા બાદ હરમનપ્રીતનું આવ્યુ પહેલુ નિવેદન, જાણો શું કહ્યુ

|

Jun 20, 2022 | 2:17 PM

Mithali Raj Vs Harmanpreet Kaur: ભારતીય મહિલા ODI ટીમની કેપ્ટન તરીકે મિતાલી રાજ (Mithali Raj) ની જગ્યા લેનાર હરમનપ્રીત કૌરે (Harmanpreer Kaur) કહ્યું, 'હવે મારા માટે મારા સાથી ખેલાડીઓને પૂછવું સરળ બની ગયું છે કે હું તેમની પાસેથી શું અપેક્ષા રાખું છું. મારા માટે વસ્તુઓ ખૂબ જ સરળ હશે.

મિતાલી રાજની જગ્યાએ વન-ડેમાં સુકાની બન્યા બાદ હરમનપ્રીતનું આવ્યુ પહેલુ નિવેદન, જાણો શું કહ્યુ
Mithali Raj and Harmanpreet Kaur (File Photo)

Follow us on

શ્રીલંકાનો આગામી પ્રવાસ મિતાલી રાજ (Mithali Raj) યુગ પછી ભારતીય મહિલા ક્રિકેટરોની પ્રથમ શ્રેણી હશે. 39 વર્ષીય મિતાલી રાજે 23 વર્ષની લાંબી કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હરમનપ્રીત કૌર (Harmanpreer Kaur) 2018 થી T20 ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમ (Indian Women Team) નું નેતૃત્વ કરી રહી છે. તે માને છે કે હવે તેના માટે અને ટીમ માટે આગળ વધવું સરળ બનશે. કારણ કે તેને ODI ટીમની કમાન પણ સોંપવામાં આવી છે.

હરમનપ્રીત કૌરે કહ્યું, “જ્યારે બે અલગ-અલગ સુકાની હતા ત્યારે કેટલીકવાર વસ્તુઓ સરળ ન હતી. કારણ કે અમારા બંને (મિતાલી અને હું) ના વિચારો અલગ હતા. હવે મારા માટે તેમને (મારા સાથીઓને) પૂછવું સરળ છે કે હું તેમની પાસેથી શું અપેક્ષા રાખું છું. મારા માટે વસ્તુઓ ખૂબ જ સરળ હશે અને મારા સાથી ખેલાડીઓ માટે પણ સ્પષ્ટ થશે.

તેને પૂછવામાં આવ્યું કે શું તે પોતાની જાતને વનડેમાં યોગ્ય ઓલરાઉન્ડર તરીકે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે કારણ કે તેને અગાઉ બોલિંગ કરવાની વધુ તક આપવામાં આવી ન હતી. તો હરમનપ્રીત કૌરે કહ્યું કે તે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ તેના સાથી ખેલાડીઓ માટે પણ રમી છે. તેમના માટે આ યોજના પણ બનાવવામાં આવી છે જેઓ પોતાને સાબિત કરવા માંગે છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

પાર્ટ ટાઈમ બોલર તરીકે હરમનપ્રીત કૌરે ભારતની છેલ્લી મેચમાં બોલ વડે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની મેચમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં 8 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લૌરા વૂલવર્ટ અને સુને લ્યુસને વિકેટ લીધા બાદ અંતિમ ઓવરોમાં બોલ આપવામાં આવ્યો ન હતો. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ 2022 ODI મહિલા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તે હવે 23 જૂને શ્રીલંકા સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી એક્શનમાં પરત ફરશે. ભારતીય ટીમે દામ્બુલા અને કેન્ડીમાં 3 T20 અને વધુ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમવાની છે.

હરમનપ્રીત કૌરે મિતાલી રાજને સન્માન આપતાં કહ્યું કે, ભારતીય મહિલા ટીમની પૂર્વ સુકાનીને જે ખાલી જગ્યા છોડી દીધી છે તેને કોઈ પુરી શકે તેમ નથી. તેણે કહ્યું, ‘જો આપણે મિતાલી દી વિશે વાત કરીએ તો મને નથી લાગતું કે તેનું સ્થાન બીજું કોઈ લઈ શકે. આપણે બધા જાણીએ છીએ કે તેણે મહિલા ક્રિકેટમાં શું યોગદાન આપ્યું છે. અમે તેને અમારા ડ્રેસિંગ રૂમમાં હંમેશા યાદ કરીશું.

Next Article