IND vs PAK: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો ટોપ ઓર્ડર નક્કી કરશે ટીમની જીત, જાણો કોણ કોના પર પડશે ભારે ?

ભારત અને પાકિસ્તાન બંને પાસે ટોપ ઓર્ડરમાં વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેન છે. ભારત પાસે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જ્યારે પાકિસ્તાન પાસે બાબર આઝમ અને રિઝવાન ખાન જેવા ધુરંધર છે. 2 સપ્ટેમ્બરે રમાનાર મેચમાં બંને ટીમોના ટોપ ઓર્ડરની કસોટી થશે.

IND vs PAK: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો ટોપ ઓર્ડર નક્કી કરશે ટીમની જીત, જાણો કોણ કોના પર પડશે ભારે ?
India vs Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 10:09 AM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. અને આ પ્રતીક્ષા થોડા દિવસોમાં પુરી થવા જઈ રહી છે. એશિયા કપ-2023 (Asia Cup 2023)માં બંને ટીમો 2 સપ્ટેમ્બરે ટકરાશે અને સમગ્ર ક્રિકેટ જગતની નજર આ મેચ પર રહેશે. ભારત અને પાકિસ્તાન બંને આ મેચમાં હારવાનું પસંદ કરશે નહીં અને તેથી તેઓ પોતાની તમામ શક્તિ સાથે ઉતરશે. આજના સમયમાં ક્રિકેટ બેટ્સમેનોની રમત બની ગઈ છે, આવી સ્થિતિમાં બંને ટીમના બેટ્સમેન (Batsmen) પર નજર રહેશે.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે

જો બંને ટીમોની બોલિંગ પણ જોવામાં આવે તો તે શાનદાર છે અને આવી સ્થિતિમાં બેટ્સમેનો પર સારો દેખાવ કરવાનું દબાણ રહેશે. બેટિંગમાં ટોપ-4 બેટ્સમેન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને પાકિસ્તાન બંને પાસે સારા બેટ્સમેન છે, પરંતુ સવાલ એ છે કે ટોપ-4 કોનો ઓર્ડર વધુ મજબૂત છે?

ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List

વિરાટ કોહલી vs બાબર આઝમ

ભારત અને પાકિસ્તાન બંને પાસે ટોપ ઓર્ડરમાં વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેન છે. ભારત પાસે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જ્યારે પાકિસ્તાન પાસે બાબર આઝમ છે જેની સરખામણી કોહલી સાથે કરવામાં આવે છે. અને મોહમ્મદ રિઝવાન પણ આ ટીમ સાથે છે. આ બંનેએ ICC T20 વર્લ્ડ કપ-2021માં ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.

બંને ટીમનો મજબૂત ટોપ ઓર્ડર

ભારતના ટોપ-4માં રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી અને શુભમન ગિલ છે. કેએલ રાહુલ વનડેમાં ભારત માટે વિકેટકીપરની ભૂમિકા ભજવે છે પરંતુ તે 2 સપ્ટેમ્બર સુધી ફિટ થવાની ખાતરી નથી. આવી સ્થિતિમાં વિકેટકીપર ઈશાનનું પ્રથમ મેચમાં રમવું નિશ્ચિત છે અને આ કારણોસર શુભમન ગિલને ત્રીજા કે ચોથા નંબરે રમવું પડી શકે છે. પાકિસ્તાનના ટોપ-4ની વાત કરીએ તો તેમાં કેપ્ટન બાબર, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, ઈમામ-ઉલ-હકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : World Cup 2023: ચંદ્રયાન-3ની સફળતાનો સંકેત, આ વખતે વનડે વર્લ્ડ કપ આપણો જ હશે!

કોણ કોના પર પડશે ભારે?

જો જોવામાં આવે તો ભારતના ટોપ-4 બેટ્સમેનોને કુલ 563 વનડેનો અનુભવ છે, જ્યારે પાકિસ્તાનના ટોપ-4 બેટ્સમેનોને 290 મેચનો અનુભવ છે. અનુભવના મામલામાં ભારત આગળ છે. એશિયા કપની મોટાભાગની મેચો શ્રીલંકામાં રમાવાની છે જ્યાં તાજેતરમાં સ્પિનરોને મદદ મળતી જોવા મળી રહી છે.

આ સ્કેલ પર, જો બંને ટીમોના ટોપ-4ની તપાસ કરવામાં આવે તો પણ, ભારત આગળ દેખાય છે કારણ કે સ્પિનરો સામે બાબરની નબળાઈ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી અને અફઘાનિસ્તાન સામેની વનડેમાં પણ દેખાઈ હતી. રિઝવાન પણ સ્પિનનો બહુ સારો ખેલાડી નથી. ફખર ઝમાન અને ઇમામને પણ ધીમી વિકેટ પર મુશ્કેલી પડે છે.

બીજી તરફ ભારતની વાત કરીએ તો રોહિત, કોહલી, ઈશાન અને ગિલ પાકિસ્તાનના બેટ્સમેન કરતાં ધીમી વિકેટ અને સ્પિન સામે વધુ સારું રમે છે. ગિલ સ્પિનરોને શ્રેષ્ઠ રીતે રમે છે. સાથે જ રોહિત અને કોહલી પાસે એટલો બધો અનુભવ છે કે તેઓ ધીમી વિકેટ પર સ્પિનરોનો સામનો કરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">