IND vs NZ : રોહિત શર્મા-ગૌતમ ગંભીરે પુણેમાં ન્યુઝીલેન્ડ પર વળતો પ્રહાર કરવા બનાવી યોજના

|

Oct 21, 2024 | 7:35 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીની પ્રથમ ટેસ્ટ હારી ગઈ છે અને પુણેમાં વળતો પ્રહાર કરવા માટે મોટી યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

IND vs NZ : રોહિત શર્મા-ગૌતમ ગંભીરે પુણેમાં ન્યુઝીલેન્ડ પર વળતો પ્રહાર કરવા બનાવી યોજના
Gautam Gambhir & Rohit Sharma
Image Credit source: PTI

Follow us on

બેંગલુરુમાં કોઈને અપેક્ષા નહોતી કે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરશે. પરંતુ આવું જ થયું, ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ 8 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી ટેસ્ટ મેચ 24મી ઓક્ટોબરથી પુણેમાં રમાશે જ્યાં કિવી ટીમ પર વળતો પ્રહાર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

પૂણેમાં કાળી માટીની પિચ

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ન્યુઝીલેન્ડ પર વળતો પ્રહાર કરવા માટે પુણેમાં સ્પિન ફ્રેન્ડલી પિચ બનાવવામાં આવનાર છે. પૂણેમાં કાળી માટીની પિચ બનાવવામાં આવશે, જ્યાં ઉછાળ ઘણો ઓછો હશે અને સ્પિનરોને આમાં ઘણી મદદ મળશે. મતલબ કે આ પિચ એવી જ હશે જે રીતે વિરાટ કોહલીની કેપ્ટનશીપ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે !

બેંગલુરુમાં હાર બાદ હવે જો ટીમ ઈન્ડિયા 2-1થી સિરીઝ જીતવા ઈચ્છે છે તો પુણે અને મુંબઈ બંને જગ્યાએ સ્પિન ફ્રેન્ડલી પિચો બનાવવામાં આવશે. ESPNcricinfoના અહેવાલ મુજબ, પુણેની પિચ શુષ્ક હશે અને ત્યાં ઓછો ઉછાળો જોવા મળશે. ટીમ ઈન્ડિયા પણ ત્રણ સ્પિનરો સાથે પુણેમાં પ્રવેશવા જઈ રહી છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો છે, તો સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનરો વધારવાની સાથે બેટ્સમેન વધારશે. પ્લેઈંગ ઈલેવનમાં વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલનો સમાવેશ કરીને આ કામ થઈ શકે છે. બંને સારા સ્પિનર ​​છે અને બેટિંગ પણ કરે છે.

સારા તેંડુલકરનો બિકીની લુક સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ
પૃથ્વી પર આ જીવ છે અમર, મળ્યા છે કુદરતના આશીર્વાદ
અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?
ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?

પુણેમાં ટીમ ઈન્ડિયા કરશે વળતો પ્રહાર

જો પુણેમાં સ્પિનરો માટે યોગ્ય પિચ હશે તો ત્યાં પણ ટોસ જીતવો મહત્વપૂર્ણ રહેશે. સ્પિન ફ્રેન્ડલી ટ્રેક પર, પ્રથમ બેટિંગ કરતી ટીમને સામાન્ય રીતે ફાયદો થાય છે, કારણ કે ચોથી ઈનિંગ્સમાં બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. હવે જો પુણેમાં ટોસ હારી જશે તો ન્યુઝીલેન્ડની ટીમ પલટવાર કરી શકે છે. પુણેમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા 333 રનથી હારી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે પુણેમાં ટીમ ઈન્ડિયા કેવો વળતો પ્રહાર કરે છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયો આ ખેલાડી, સૂર્યાએ પણ પાછું ખેંચ્યું નામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:34 pm, Mon, 21 October 24

Next Article