IND vs NZ : ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહને મળી મોટી જવાબદારી

|

Oct 11, 2024 | 10:58 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16મી ઓક્ટોબરથી 3 ટેસ્ટ મેચ શરૂ થશે. આ વખતે પસંદગી સમિતિએ એ જ ટીમની પસંદગી કરી છે જેણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. જો કે ટીમમાંથી માત્ર એક ખેલાડીને પડતો મૂકવામાં આવ્યો છે પરંતુ તેની જગ્યાએ કોઈની પસંદગી કરવામાં આવી નથી.

IND vs NZ : ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહને મળી મોટી જવાબદારી
Jasprit Bumrah & Rohit Sharma
Image Credit source: PTI

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતા સપ્તાહે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3-ટેસ્ટ સીરીઝ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેના માટે બોર્ડે શુક્રવારે 11 ઓક્ટોબરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામે જીતેલી ટીમને જ જાળવી રાખી છે. મતલબ કે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેની વાપસીમાં વધુ સમય લાગશે. એક મોટો નિર્ણય લેતા પસંદગીકારોએ જસપ્રિત બુમરાહને ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે.

યશ દયાલની પસંદગી ન થઈ

BCCIએ શ્રેણી શરૂ થવાના લગભગ 4 દિવસ પહેલા શુક્રવારે મોડી રાત્રે ટીમની જાહેરાત કરી હતી. જો કે, છેલ્લી શ્રેણીના પરિણામો અને ખેલાડીઓના પ્રદર્શન બાદ સ્પષ્ટ લાગી રહ્યું હતું કે આ વખતે ટીમમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે. પસંદગી સમિતિએ પણ એ જ વિચાર જાળવી રાખ્યો અને ટીમમાં સ્થિરતા જાળવીને એ જ ખેલાડીઓની પસંદગી કરી. જો કે, છેલ્લી શ્રેણીમાં ટીમનો ભાગ બનેલા ડાબા હાથના ઝડપી બોલર યશ દયાલને આ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી. તેને ડેબ્યૂ કર્યા વિના જ બહાર કરી દેવામાં આવ્યો છે જ્યારે તેના સ્થાને અન્ય કોઈ બોલરને સામેલ કરવામાં આવ્યો નથી.

સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી
Money Saving Tips : આ ટીપ્સ દ્વારા બાળકોને પૈસાનું મહત્વ શીખવો

 

જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટન

આ જાહેરાતમાં સૌથી મોટા સમાચાર વાઇસ કેપ્ટનના નામની મહોર છે. બીસીસીઆઈએ બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે કોઈની નિમણૂક કરી ન હતી, પરંતુ હવે બોર્ડે આ અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નોનો અંત લાવી દીધો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ટીમનો વાઈસ કેપ્ટન હશે. બુમરાહને આ પહેલા પણ આ જવાબદારી મળી છે અને તેણે રોહિત શર્માની બીમારી બાદ 2022માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કેપ્ટનશિપ પણ કરી હતી. પસંદગી સમિતિનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે કેપ્ટન રોહિત નવેમ્બરમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ કે બીજી ટેસ્ટમાંથી બહાર બેસી શકે છે. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ કેપ્ટનશીપ કોણ લેશે તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. હવે BCCIએ સંકેત આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં આ જવાબદારી માત્ર બુમરાહ જ લઈ શકે છે.

ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો: ‘તમે પાગલ થઈ ગયા છો?’ બેટ હાથમાં પકડીને રોહિત શર્માએ કોને આપ્યો આવો જવાબ? જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:58 pm, Fri, 11 October 24

Next Article