T20 World Cup : ભારત-પાક મેચમાં અમ્પાયર કોણ ? આઈસીસીએ નિર્ણય લેવા માટે ‘સ્પેશિયલ 16’ પસંદ કરી

ICC દ્વારા જાહેર કરાયેલ 16 અમ્પાયરોની એલિટ પેનલમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે. નિતિન મેનન પણ ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.

T20 World Cup : ભારત-પાક મેચમાં અમ્પાયર કોણ ? આઈસીસીએ નિર્ણય લેવા માટે 'સ્પેશિયલ 16' પસંદ કરી
ICC દ્વારા જાહેર કરાયેલ 16 અમ્પાયરોની એલિટ પેનલમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 5:01 PM

T20 World Cup: ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે તમામ દેશોએ ટીમની જાહેરાત કરી દીધી છે. દરેક ખેલાડીનું નામ ICC ટેબલ સુધી પહોંચી ગયું છે. અને, હવે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા દ્વારા અમ્પાયરોની એલિટ પેનલની પણ જાહેરાત કરવામાં આવી છે અટલે કે, ટી 20 વર્લ્ડકપમાં અમ્પાયરિંગ કોણ કોણ કરશે, ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરના રોજ રમાનારી મેચમાં અમ્પાયર (ICC Umpire) કોણ હશે ? આ સવાલનો જવાબ સામે આવી ચૂક્યો છે. આઈસીસીએ આ માટે 16 અમ્પાયરના નામની જાહેરાત કરી છે. જેમાં એક ભારતીય અમ્પાયર સામેલ છે.

ICC દ્વારા જાહેર કરાયેલ 16 અમ્પાયરોની એલિટ પેનલમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે. નિતિન મેનન પણ ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. આ સિવાય પેનલમાં આવા ત્રણ અમ્પાયર છે, જેમનો આ 7મો વર્લ્ડ કપ હશે. એટલે કે તેની પાસે ICC ઈવેન્ટ્સમાં ઘણો અનુભવ હશે.

ICCએ 16 અમ્પાયરોની યાદી જાહેર કરી

ICC દ્વારા પ્રથમ રાઉન્ડ અને સુપર 12 તબક્કા માટે અમ્પાયરોના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ માટેના અધિકારીઓની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ICCએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ટૂર્નામેન્ટમાં કુલ 16 અમ્પાયર અમ્પાયરિંગ કરશે. રિચર્ડ કેટલબોરો, નીતિન મેનન, કુમાર ધર્મસેના અને મેરાઈસ ઈરાસ્મસ 2021ની ફાઇનલમાં અમ્પાયરિંગ કરી હતી,

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ હશે મેચ રેફરી

આઈસીસી મેચ રેફરીની પેનલના મુખ્ય રેફરી રંજન મદુગલે પણ આ ટી 20 વર્લ્ડ કપનો ભાગ હશે. તેના સિવાય ઝિમ્બામ્વે ઈંગ્લેન્ડના ક્રિસ્ટોફર બ્રૉડ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂન પણ મેચ રેફરી પેનલમાં સામેલ થશે

ઇરાસ્મસ, ટકર અને અલીમ ડારનો 7મો વર્લ્ડ કપ

પાયક્રોફ્ટ 16 ઓક્ટોબરે શ્રીલંકા અને નામિબિયા વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચ માટે રેફરી હશે. જ્યારે જોએલ વિલ્સન અને રોડની ટકર તે મેચમાં અધિકૃત રહેશે. પોલ રીફેલ ટીવી અમ્પાયર હશે અને ઈરાસ્મસ ચોથા અમ્પાયર હશે. તમને જણાવી દઈએ કે, ઈરાસ્મસ, ટકર અને અલીમ ડારનો આ સાતમો T20 વર્લ્ડ કપ હશે.

આ ભારત-પાક મેચમાં અમ્પાયર હશે

હવે સવાલ એ છે કે, 23મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન પહેલીવાર ટકરાશે ત્યારે ઓન-ફિલ્ડ અમ્પાયર કોણ હશે? પ્રાપ્ત માહિતી અનુસાર, રોડની ટકર અને મેરાઈસ ઈરાસ્મસ આ હાઈ વોલ્ટેજ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હશે.

ટી 20 વર્લ્ડ કપના 16 અમ્પાયર

એડ્રિયન હોલ્ડસ્ટોક, અલીમ ડાર, અહેસાન રઝા, ક્રિસ્ટોફર બ્રાઉન, ક્રિસ્ટોફર ગેફેની, જોએલ વિલ્સન, કુમાર ધર્મસેના, લેંગટન રૂસેરે, મેરાઈસ ઈરાસ્મસ, માઈકલ ગફ, નીતિન મેનન, પોલ રીફેલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઈલિંગવર્થ, રિચાર્ડ કેટલબોરો, રોડની ટકર

Latest News Updates

મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">