T20 વિશ્વકપ (World Cup) 2021 ના આયોજન માટે ભારત યજમાન દેશ છે. પરંતુ વિશ્વકપનુ આયોજન ભારતમાં કરવાને લઇને સંક્ટ છે. UAE માં આયોજનને ખસેડવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, વિશ્વકપનુ આયોજન અન્ય દેશમાં પણ ખસેડી શકાય છે. એટલે કે ભારતથી ખસેડી શ્રીલંકા (Sri Lanka) માં યોજવામાં આવી શકે છે. જોકે આયોજન BCCIની યજમાનીમાં કરવામાં આવશે.
એક તરફ હાલમાં BCCI ના ટોચના પદાધીકારીઓ હાલમાં UAE માં છે. જ્યાં IPL 2021 ઉપરાંત T20 વિશ્વકપને લઇને પણ તૈયારી માટે ચર્ચાઓ મીડિયા રિપોર્ટસમાં જણાઇ રહી છે. રિપોર્ટનુસાર આ દરમ્યાન હવે BCCI ના એક અધિકારી મુજબ, આ માટે ECB અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) સાથે પણ ચર્ચા કરી રહ્યુ છે.
હાલના કેટલાક મહિનાઓના સંભવિત શિડ્યુલ ને જોવામાં આવે તો, UAEમાં ક્રિકેટ કાર્યક્રમ વ્યસ્ત થઇ શકે છે. હાલમાં PSLની શરુઆત થઇ રહી છે. ત્યાર બાદ IPL 2021 રમાનારી છે. આમ એકબાદ એક ટુર્નામેન્ટ UAEમાં રમાનારી છે. ત્યાં T20 વિશ્વકપનુ પણ આયોજન થઇ શકે, તો UAEમાં ક્રિકેટ વ્યસ્તતા વધી શકે છે.
આમ પિચોને તૈયાર કરવી અને મેદાનોની જાળવણી કરવી એ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત વિશ્વભરની 16 ક્રિકેટ ટીમો પણ વિશ્વકપમાં ભાગ લેશે. તેમના રોકાણથી લઇને પ્રેકટીશ સહિતની ઉપલબ્ધતા કરવી પડશે. આમ UAEમાં શિડ્યુલ વ્યસ્ત થતા, વિશ્વકપના આયોજનને અસર પહોંચી શકે છે કેમ, તે બાબતો પણ વિચારાઇ શકે છે. આ જોતા પાડોશી દેશને ધ્યાને રાખી, શ્રીલંકા પર પણ પસંદગી ઉતારાઇ શકે છે. આમ BCCI તેના આયોજન હક્ક હેઠળ અનુકૂળતા UAE બાદ શ્રીલંકામાં વિચારી શકે છે.