T20 WC : ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી, છતાં આ ખેલાડીને બહાર કરવાની ઉઠી માંગ

|

Jun 13, 2024 | 6:33 PM

ભારતીય ટીમે સતત 3 મેચ જીતીને સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ તેમ છતાં આગામી રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી એક ખેલાડીને પડતા મુકવાની ચર્ચા છે અને આ ખેલાડી છે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ. કોણ કહી રહ્યું છે આ વાતો, શું સિરાજને બહાર કરવામાં આવશે? વાંચો આ અહેવાલમાં.

T20 WC : ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી, છતાં આ ખેલાડીને બહાર કરવાની ઉઠી માંગ
Team India

Follow us on

ટીમ ઈન્ડિયાએ 11 વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવા માટે પહેલું પગલું ભર્યું છે. ન્યૂયોર્કની પડકારજનક સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાં સતત 3 મેચ જીતીને સુપર-8માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ગ્રૂપ સ્ટેજમાં સતત 3 મેચ જીતનારી ટીમ ઈન્ડિયાની સફળતામાં ફાસ્ટ બોલરોની ખાસ ભૂમિકા રહી છે, પરંતુ હવે સુપર-8માં પહોંચતા જ આમાંથી એક બોલરને પડતો મુકવાની ચર્ચા ચાલી રહી છે. આ બોલર છે મોહમ્મદ સિરાજ, જેને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર જોવા માંગે છે.

અનિલ કુંબલેનું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાએ તેની ત્રીજી મેચમાં અમેરિકાને 7 વિકેટે હરાવ્યું અને આગામી રાઉન્ડ માટે ટિકિટ બુક કરી લીધી. આ મેચમાં મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 25 રન આપ્યા પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી. આમ છતાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ અને હવે ભૂતપૂર્વ મહાન બોલર અનિલ કુંબલે તેને પ્લેઈંગ ઈલેવનમાં રાખવાના પક્ષમાં નથી.

સિરાજને બહાર બેસવું પડશે?

અમેરિકા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ ESPN- Cricinfo શોમાં ચર્ચા દરમિયાન અનિલ કુંબલેએ આ મુદ્દે પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સિરાજને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવો પડશે. પરંતુ એવું નથી કે કુંબલેને સિરાજની ક્ષમતા પર શંકા છે. વાસ્તવમાં, કુંબલેના આ નિવેદનનું કારણ ટીમ ઈન્ડિયાનું સુપર-8માં પહોંચવાનું છે. આ રાઉન્ડની મેચો કેરેબિયનમાં રમાશે અને અહીંની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

અર્શદીપ સિંહના કર્યા વખાણ

આવી સ્થિતિમાં કુંબલેનું માનવું છે કે જો ટીમ ઈન્ડિયા માત્ર 2 ઝડપી બોલરો સાથે જાય છે તો તેણે જસપ્રિત બુમરાહની સાથે અર્શદીપ સિંહને મેદાનમાં ઉતારવો જોઈએ. એટલે કે સિરાજને બહાર બેસવું પડશે. અર્શદીપના વખાણ કરતા કુંબલેએ કહ્યું કે તેણે જે રીતે બોલિંગ કરી છે અને તે જે ફોર્મમાં છે અને ડાબોડી બોલર છે તેના કારણે તે ટીમ માટે વધુ સારો વિકલ્પ સાબિત થાય છે.

વર્લ્ડ કપમાં પ્રદર્શન કેવું રહ્યું?

અર્શદીપે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે ત્રણેય મેચમાં વિકેટ ઝડપી છે અને અત્યાર સુધીમાં 7 વિકેટ લીધી છે. તેમાંથી તેણે અમેરિકા સામે 9 રનમાં માત્ર 4 વિકેટ લીધી હતી. બીજી તરફ, સિરાજે સતત સારી બોલિંગ કરી છે પરંતુ તેના ખાતામાં વિકેટ નથી. તે 3 મેચમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો છે. આવી સ્થિતિમાં, બે ફાસ્ટ બોલરોની સ્થિતિમાં તે પાછળ રહેતો જણાય છે.

આ પણ વાંચો : T20 WC : અમેરિકા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ 250 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ કેમ તોડવામાં આવી રહ્યું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article