T20 વર્લ્ડ કપ 2024: શું ટીમ ઈન્ડિયા તેના શ્રેષ્ઠ ખેલાડીને છોડી દેશે? રોહિત શર્મા સાવધાન!

|

Jun 04, 2024 | 8:44 PM

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સામે સૌથી મોટો પડકાર T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ માટે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાનો છે. ખાસ કરીને સૌથી મોટી સમસ્યા બોલિંગમાં છે. સવાલ એ છે કે બુમરાહ સિવાય તે કયા ફાસ્ટ બોલરને તક આપશે? એવું ન થાય કે તે છેલ્લા 3 વર્ષના શ્રેષ્ઠ બોલરને કરી દે.

T20 વર્લ્ડ કપ 2024: શું ટીમ ઈન્ડિયા તેના શ્રેષ્ઠ ખેલાડીને છોડી દેશે? રોહિત શર્મા સાવધાન!
Rohit Sharma

Follow us on

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું અભિયાન શરૂ થવામાં જ છે. ભારતીય ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ મેચ ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે રમવાની છે. આ મેચ 5 જૂને રમાશે અને સૌથી રસપ્રદ પ્રશ્ન એ છે કે રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં કયા 11 ખેલાડીઓને તક આપશે. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપ ભલે ફિક્સ છે, પરંતુ બોલિંગમાં થોડી મૂંઝવણ છે. રોહિત શર્માએ નક્કી કરવાનું છે કે બુમરાહ સિવાય તે કયા ફાસ્ટ બોલરને તક આપશે? તે સિરાજ હશે કે અર્શદીપ સિંહ?

અર્શદીપ સિંહનું જોરદાર પ્રદર્શન

અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ બંને ગુણવત્તાયુક્ત ઝડપી બોલર છે. બંને બોલને સારા સ્વિંગ કરાવે છે. તફાવત એ છે કે અર્શદીપ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે અને સિરાજ જમણા હાથનો ફાસ્ટ બોલર છે. જો કે, એક મોટો તફાવત એ છે કે અર્શદીપ સિંહ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતનો સૌથી સફળ T20 બોલર રહ્યો છે. અર્શદીપે 2021થી અત્યાર સુધી T20માં કુલ 62 વિકેટ લીધી છે, જે સૌથી વધુ છે. આ યાદીમાં બીજા નંબર પર 49 વિકેટ સાથે ભુવનેશ્વર કુમાર છે. ત્રીજા સ્થાને 40 વિકેટ સાથે અક્ષર પટેલ છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ 37 વિકેટ સાથે ચોથા સ્થાન પર છે. મતલબ કે અહીં મોહમ્મદ સિરાજનો કોઈ પત્તો નથી.

શું રોહિત સિરાજ પર વિશ્વાસ બતાવશે?

હવે રોહિત માટે મોટો પ્રશ્ન એ છે કે તે અર્શદીપ સિંહના કામ પર વિશ્વાસ કરશે કે મોહમ્મદ સિરાજના મોટા નામ પર રોહિત શર્મા માટે મોટી મૂંઝવણ છે કારણ કે ન્યૂયોર્કમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં અર્શદીપ અને સિરાજ બંનેએ સારી બોલિંગ કરી હતી. અર્શદીપે 3 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સિરાજે 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી. હવે નિર્ણય ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે લેવાનો છે. જોકે, અર્શદીપના આગમનથી ટીમની બોલિંગમાં વિવિધતા જોવા મળશે કારણ કે તે ડાબોડી ફાસ્ટ બોલર છે. જો તેને સ્વિંગ નહીં મળે તો તેનો એંગલ ચોક્કસપણે બેટ્સમેનોને પરેશાન કરશે. પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે રોહિત શર્મા શું વિચારે છે. કારણ કે તેમની વિચારસરણી સૌથી મહત્વપૂર્ણ છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

આ પણ વાંચો : મોટા ભાઈ યુસુફ પઠાણની જીત પર ભાવુક થયો નાનો ભાઈ ઈરફાન, કહ્યું- દેશ માટે હવે શું કરવું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article