ભારતીય ટીમ ની સળંગ બે જીત બાદ ત્રીજી મેચમાં હાર થઈ છે. દક્ષિણ આફ્રિકા સામે આસાન લક્ષ્ય રાખવા છતા જબરદસ્ત લડાઈ આપીને રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં હાર મેળવી હતી. જોકે ભારતીય ચાહકો આ હારને લઈ સહેજ પણ દુઃખી નથી. કારણ કે આ હારમાં પણ જીતનો સંયોગ જોવા મળી રહ્યો છે. આ હાર સાથે જ 15 વર્ષનો દુષ્કાળ હવે ખતમ થશે તેવી આશા જાગી છે. વર્ષ 2011 માં વનડે વિશ્વકપ ભારતે જીત્યો હતો એ વખતની યાદો તાજી થઈ ગઈ છે. કારણ કે પ્રથમ ત્રણ મેચોના પરીણામને હવે એક આશા ભર્યા સંજોગોથી ચાહકો જોવા માંડ્યા છે.
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2011 માં વન ડે વિશ્વકપ જીત્યો હતો. તે સમયે જે પ્રમાણેનુ પ્રદર્શન ભારતનુ રહ્યુ હતુ એ જ પ્રમાણેનુ પ્રદર્શન ટીમ ઈન્ડિયાનુ હાલમા જોવા મળી છે. તે વખતે ભારત માત્ર એક જ મેચ હાર્યુ હતુ અને એ પણ દક્ષિણ આફ્રિકા સામે.
Well Done South Africa. India fought well till the end but 133 wasn’t enough
Similar to the 50 over 2011 World Cup , India lose to South Africain group stage. Hopefully will win all from here. #INDvsSA— Virender Sehwag (@virendersehwag) October 30, 2022
T20 વર્લ્ડ કપ 2022માં પણ ભારત અત્યાર સુધી માત્ર એક જ મેચ હાર્યું છે અને તે ટીમ અન્ય કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા છે. આ સંયોગ માત્ર વિપક્ષી ટીમમાં જ નહીં, પરંતુ જીત અને હારમાં પણ બને છે, જેનાથી ચાહકોમાં ચેમ્પિયન બનવાની આશા જાગી છે.
2011માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 2 બોલ પહેલા જ જીત અપાવી હતી. આ વખતે પણ દક્ષિણ આફ્રિકાએ પર્થમાં 2 બોલમાં જીત મેળવી હતી. એટલે કે હાર પણ ભારતની જીતની ગાથા લખવાની તૈયારી કરી રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
પર્થમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર 12 મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
Published On - 9:27 am, Mon, 31 October 22