Suryakumar Yadav ઈશાન કિશન સાથે પુષ્પાના ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

|

Jan 17, 2022 | 10:09 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. સિરીઝ પહેલા ભારતીય ખેલાડીઓ પણ મસ્તી કરી રહ્યા છે.

Suryakumar Yadav ઈશાન કિશન સાથે પુષ્પાના ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
Surya Kumar Yadav

Follow us on

Suryakumar Yadav : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે. બંને ટીમો વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણીનો વારો છે. 19 જાન્યુઆરીથી ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે. ભારતની ODI ટીમના ખેલાડીઓ પણ આ સિરીઝ માટે સાઉથ આફ્રિકા પહોંચી ગયા છે અને પોતાની તૈયારીઓમાં પણ વ્યસ્ત છે. તૈયારીઓ વચ્ચે ખેલાડીઓ પણ પોતાના માટે સમય કાઢીને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આવી જ મજા માણતા સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સાઉથની ફિલ્મ પુષ્પા દા રાઇઝના એક ગીતના ડાન્સ સ્ટેપ્સની નકલ કરતો જોવા મળે છે. આમાં તેની સાથે ઈશાન કિશન (Ishan Kishan) પણ જોવા મળી રહ્યો છે.

આ વીડિયોની શરૂઆતમાં સૂર્યકુમાર (Suryakumar Yadav) પહેલા એકલો જોવા મળે છે અને થોડા સમય પછી કિશન પણ તેની સાથે જોડાય છે. તેઓ સાથે મળીને ડાન્સ સ્ટેપ્સ કોપી કરે છે. સાઉથની આ ફિલ્મમાં સુપરસ્ટાર અલ્લુ અર્જુન છે અને આ ફિલ્મના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વીડિયો સાથે સૂર્યકુમારે લખ્યું છે કે, મારી પોતાની પુષ્પા સાથે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

જાડેજા પણ ચાહક બની ગયો

સૂર્યકુમાર યાદવ એકમાત્ર ક્રિકેટર નથી જેણે આ ફિલ્મની નકલ કરી છે. તેના પહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શિખર ધવન પણ આ કરી ચુક્યા છે. જાડેજાએ આ ફિલ્મમાં અલ્લુ અર્જુનના લુકની કોપી કરી હતી અને તેનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. તેણે આ ફિલ્મના ડાયલોગની નકલ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

સિરીઝ જીતવાનું લક્ષ્ય રહેશે

ટેસ્ટ શ્રેણીમાં ભારતને જીત માટે દાવેદાર માનવામાં આવતું હતું પરંતુ ટીમનો પરાજય થયો હતો. હવે ભારતીય ટીમ વનડે શ્રેણી જીતવા માંગશે. ટીમ નવા કેપ્ટનના નેતૃત્વમાં આ શ્રેણીમાં પ્રવેશ કરશે. વિરાટ કોહલીને ODI ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, ઈજાના કારણે રોહિત આ પ્રવાસ પર આવી શક્યો ન હતો અને તેથી KL રાહુલ હવે ODI ટીમનું સુકાન સંભાળશે. રાહુલે જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભારતે 2018ના પ્રવાસમાં દક્ષિણ આફ્રિકાને ODI શ્રેણીમાં હરાવ્યું હતું.

Published On - 9:27 am, Mon, 17 January 22

Next Article