દર વર્ષની જેમ ફરી એકવાર આઈપીએલની હરાજીમાં ઘણા ક્રિકેટરોના ખિસ્સામાં મોટી રકમ આવી ગઈ છે. આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં 11 ખેલાડીઓની કિંમત 10 કરોડથી વધુની છે અને ડઝનબંધ ખેલાડીઓને 1 થી 10 કરોડની વચ્ચેની તગડી રકમ મળી છે. આવી સ્થિતિમાં, દેખીતી રીતે આ ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટમાં ભાગ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દ્વારા તેમને નાણાકીય સુરક્ષા મળે છે. પરંતુ શું તેનાથી ખેલાડીઓ આઇપીએલ (IPL 2022) ની આસપાસ ધ્યાન રાખીને તેમની રાષ્ટ્રીય અથવા ઘરઆંગણાની ટીમો માટે તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન નથી કરતા? આવી અટકળો ઘણી વખત કરવામાં આવી છે અને હવે મહાન બેટિંગ સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) પણ આશંકા વ્યક્ત કરી છે. તેઓના મુજબ IPLને ધ્યાનમાં રાખીને કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના ડરે ઈજાગ્રસ્ત ન થાય તે માટે તેમની પૂરી તાકાત લગાવતા નથી.
આઈપીએલની હરાજી પૂર્ણ થયા બાદ હવે ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ થોડા દિવસો બાકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની સાથે અન્ય ટીમો દ્વારા પણ ઘણી મેચો રમવાની છે. માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટરો જ નહીં પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટરો પણ વ્યસ્ત છે. ખાસ કરીને ભારતના ડોમેસ્ટિક ક્રિકેટરોએ રણજી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યોની ટીમો માટે પોતાનું કૌશલ્ય બતાવવું પડશે. આવી સ્થિતિમાં, જો આ સમયગાળા દરમિયાન કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અને આઈપીએલમાં રમવા માટે અસમર્થ હોય છે, તો તેને તે રકમ નહીં મળે જે આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ તેને ખરીદવા માટે ખર્ચી છે.
આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે ખેલાડીઓ IPLના આ ઉત્તમ કરારને ગુમાવાય નહીં તેથી બચીને રહેવા ઇચ્છશે. આ માટે તેમની સંબંધિત ટીમો માટે તેમની સંપૂર્ણ ક્ષમતા અનુસાર મેદાન પર પ્રદર્શન કરવાનું ટાળશે. ગાવસ્કરે પણ આવી જ આશંકા વ્યક્ત કરી છે.
ગાવસ્કરે એક મીડિયા કોલમમાં લખ્યું છે, (IPL) હરાજી એ તમામ ખેલાડીઓના જીવનને બદલી નાખે છે કારણ કે તે તેમના અને તેમના પરિવારો માટે સુરક્ષિત ભવિષ્યનો માર્ગ ખોલે છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના પણ છે કે ઘણા ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ટીમો માટે રમવા માટે પૂરતી મહેનત કરી શકતા નથી, ખાસ કરીને જ્યારે IPL નજીક છે.
આ હરાજીમાં વેચાયેલા ખેલાડીઓની વાત કરીએ તો, મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીઓએ કુલ 551 કરોડથી વધુની રકમની ખરીદી કરી હતી, જેમાં 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. જેમાં 67 ખેલાડીઓ વિદેશી છે. તે જ સમયે, ઘણા ખેલાડીઓ ભારતની સ્થાનિક સિસ્ટમનો ભાગ છે, જે 20 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે વેચાયા છે. હવે સુનીલ ગાવસ્કરની આશંકા કેટલી સાચી છે કે નહીં, પરંતુ એ સ્પષ્ટ છે કે આ ખેલાડીઓ માટે આ રકમ સ્વાભાવિક રીતે જ મોટી હશે અને આવી સ્થિતિમાં તેઓ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ ઉપલબ્ધ રહેવાનો પ્રયાસ કરશે.
Published On - 8:36 am, Fri, 18 February 22