SRH vs PBKS Playing XI IPL 2022: હૈદરાબાદ પહેલા બેટીંગ કરશે, બંને ટીમોમાં પરીવર્તન, સૌરાષ્ટ્રના પ્રેરક માંકડને મળી તક, જુઓ પ્લેયીંગ 11

|

May 22, 2022 | 7:49 PM

SRH vs PBKS Toss and Playing XI News: ભુવનેશ્વર કુમાર આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે, કારણ કે ટીમનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન સ્વદેશ પરત ફર્યો છે.

SRH vs PBKS Playing XI IPL 2022: હૈદરાબાદ પહેલા બેટીંગ કરશે, બંને ટીમોમાં પરીવર્તન, સૌરાષ્ટ્રના પ્રેરક માંકડને મળી તક, જુઓ પ્લેયીંગ 11
SRH vs PBKS: વાનખેડે સ્ટેડિયમમાં થઈ રહી છે ટક્કર

Follow us on

IPL 2022 નો લીગ સ્ટેજ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને આ સીઝનની છેલ્લી એટલે કે 70મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (SRH vs PBKS) આ મેચમાં સામસામે છે અને હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો માટે આ મેચનો એક જ અર્થ એ છે કે તેઓ જીત સાથે તેમની સફરનો અંત લાવવા ઈચ્છે છે અને પોઈન્ટ ટેબલમાં એકબીજાથી આગળ નીકળી જવાનો પ્રયાસ કરે છે. બંને ટીમમાં ફેરફારો થયા છે અને સૌથી મોટો ફેરફાર હૈદરાબાદની કેપ્ટનશીપમાં થયો છે, કારણ કે કેન વિલિયમસન તેના બાળકના જન્મને કારણે દેશ પરત ફર્યો છે. તેના સ્થાને ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) ટીમની કમાન સંભાળી છે. પંજાબ કિંગ્સની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. નાથન એલિસ, શાહરૂખ ખાન અને પ્રેરક માંકડને તક આપવામાં આવી છે.

બંને ટીમો આ મેચ સાથે તેમની સીઝનનો અંત કરશે, જ્યાં તેઓ પ્રદર્શનમાં સાતત્યના અભાવને કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા હતા. બંને ટીમોએ 13-13 મેચોમાંથી 12-12 પોઈન્ટ મેળવ્યા હતા અને તેમની છેલ્લી મેચથી પ્લેઓફ માટે તેમની રેસ નક્કી કરવાની અપેક્ષા હતી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની જીત સાથે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આવી સ્થિતિમાં, હવે બંને ટીમોનું એકમાત્ર લક્ષ્ય પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન મેળવવાનું છે. સારા નેટ રન રેટને કારણે પંજાબ એક સ્થાન ઉપર સાતમા ક્રમે છે જ્યારે હૈદરાબાદ આઠમા ક્રમે છે. વિજેતા ટીમ કોલકાતાથી ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી જશે.

બંને ટીમોમાં આ ફેરફારો થયા

જો પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો હૈદરાબાદે આ મેચ માટે બે ફેરફાર કર્યા છે. કેપ્ટન વિલિયમસનની જગ્યા ભરવા માટે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. શેફર્ડે શરૂઆતની મેચો રમી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ટી નટરાજનને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને ઓલરાઉન્ડર જગદીશા સુચિતની વાપસી થઈ છે. બીજી તરફ પંજાબે ત્રણ ફેરફાર કર્યા છે. આમાં ભાનુકા રાજપક્ષે, ઋષિ ધવન અને રાહુલ ચાહરને પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે શાહરૂખ ખાન લાંબા સમય બાદ પરત ફર્યો છે. તેમના સિવાય પ્રેરક માંકડ અને નાથન એલિસ પણ ટીમમાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

SRH vs PBKS: આજની પ્લેયીંગ ઈલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જગદીશા સુચિત, ફઝલહક ફારૂકી, રોમારિયો શેફર્ડ, ઉમરાન મલિક

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, પ્રેરક માંકડ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ

Published On - 7:18 pm, Sun, 22 May 22

Next Article