Sourav Ganguly: સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી અપાઇ રજા, કોરોના સંક્રમિત થતા કોલકાતામાં એડમીટ કરાયા હતા

|

Dec 31, 2021 | 4:46 PM

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને વુડલેન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Sourav Ganguly: સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી અપાઇ રજા, કોરોના સંક્રમિત થતા કોલકાતામાં એડમીટ કરાયા હતા
Sourav Ganguly

Follow us on

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly ) ને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ તેઓ કોરોનાથી સંપૂર્ણ સાજા થયા નથી. પરંતુ હવે તેની સારવાર ઘરે જ થશે. ભારતના પૂર્વ કેપ્ટનમાં હવે કોરોનાના હળવા લક્ષણો છે. આ જ કારણ છે કે હોસ્પિટલે તેમને રજા આપવાનો નિર્ણય કર્યો.

BCCI પ્રમુખના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર 3 દિવસ પહેલા આવ્યા હતા, ત્યારબાદ તેમને વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં 2 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ વર્ષે બીજી વખત ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2021માં તેમને હાર્ટ એટેકની સમસ્યાને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

તબીબોની નજર સતત ગાંગુલીની તબિયત પર હતી

વુડલેન્ડ હોસ્પિટલના ડોક્ટરોએ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી. અહીં ચાહકો પણ તે જલ્દી સ્વસ્થ થાય અને ઘરે પરત ફરે તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ડૉક્ટરની મહેનત અને ચાહકોની પ્રાર્થનાએ રંગ દેખાડ્યો હતો અને ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જો કે, જ્યાં સુધી તેનો કોરોના સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે ઘરે જ રહેશે. જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને કોરોના વેક્સીનના બંને ડોઝ મળ્યા હતા. આ પછી તેને કોરોના થયો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કોરોના પહેલા ‘વિરાટ’ વિવાદ ને લઈને ચર્ચા રહ્યા ‘દાદા’

સૌરવ ગાંગુલી કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે લાઈમલાઈટમાં રહ્યા તે પહેલા વિરાટ કોહલી સાથેના મતભેદોને લઈને પણ ચર્ચાઓમાં આવ્યા હતા. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા, BCCIએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ODIનો કેપ્ટન બનાવ્યો હતો. બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતું કે કોહલી સાથે વાત કર્યા બાદ જ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો છે.

પરંતુ ત્યારબાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તે સાવ અલગ હતું. તેણે કહ્યું કે તેને આ અંગેની જાણ કેપ્ટનશિપ છીનવાઈ જવાના દોઢ કલાક પહેલા થઈ હતી. વિરાટના આ નિવેદનનો જવાબ આપતા ગાંગુલીએ કહ્યું હતું કે તે આ મુદ્દે અત્યારે કંઈ નહીં બોલે, હવે બોર્ડ જે પણ કરશે.

 

આ પણ વાંચોઃ IND vs SA: સેન્ચ્યુરિયનમાં જીત બાદ રિસોર્ટ પર પહોંચતાજ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ મન મુકી નાચ્યા, ચેતેશ્વર પુજારા અને અશ્વિન પણ ઝુમ્યા, Video

 

આ પણ વાંચોઃ Quinton De Kock: ડી કોક નો નિવૃત્તીનો નિર્ણય ધોની જેવો જ રહ્યો, આફ્રિકી કીપરે ક્રિકેટ ચાહકોને 8 વર્ષ જૂની ઘટના યાદ કરાવી દીધી

 

Published On - 2:20 pm, Fri, 31 December 21

Next Article