ભારતીય મહિલા ક્રિકેટ (Indian Women Team) ટીમ શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. અનુભવી ખેલાડી ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) અને મિતાલી રાજ (Mithali Raj) આ પ્રવાસમાં ટીમનો ભાગ નહીં હોય. સુકાની હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) એ આ પ્રતિક્રિયા આપી હતી. સુકાની હરમનપ્રીતનું માનવું છે કે, ટીમ માટે આ એક શાનદાર તક હશે. ભારતની સૌથી સફળ મહિલા બેટ્સમેન મિતાલીએ તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી છે જ્યારે ફાસ્ટ બોલર ઝુલનને ટીમમાં પસંદ કરવામાં આવી નથી.
હરમનપ્રીતે કહ્યું, “અમે અમારી ટીમ પર સખત મહેનત કરી રહ્યા છીએ, અમારી પાસે શાનદાર સંયોજનો છે. અમે પ્રથમ વખત સિનિયર ખેલાડીઓ વિના જઈ રહ્યા છીએ. તેથી નવી શરૂઆત કરવાના પરિપ્રેક્ષ્યમાં અમારા માટે આ સારો પ્રવાસ છે. આપણા બધા માટે એક ટીમ બનાવવાની આ એક મોટી તક છે. મને નથી લાગતું કે શ્રીલંકા અમારા માટે આસાન પ્રવાસ હશે.’
લાંબા સમયથી T20 ઈન્ટરનેશનલ ટીમનું નેતૃત્વ કરી રહેલી હરમનપ્રીતને ODI ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. તેણે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવા પર ભાર મૂક્યો હતો. ભારતીય કેપ્ટને કહ્યું, “અમે એવા યુવા ખેલાડીઓને તક આપીશું જે સારી ફિલ્ડિંગ કરી શકે અને 10 ઓવરની બોલિંગમાં સતત વિકેટ લેવાનો પ્રયાસ કરી શકે. અમે નાની વસ્તુઓ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એનસીએ (National Cricket Academy) માં આ બાબતો પર કામ કર્યું છે અને અમારી પાસે એક વિઝન છે. અમે તેને મેદાન પર લાવવાનો પ્રયાસ કરીશું.”
🗣️ 🗣️ Ahead of #TeamIndia‘s tour of Sri Lanka, Captain @ImHarmanpreet sums up what the legendary @M_Raj03 has done for the game. 👏 👏 pic.twitter.com/emXC39PDzO
— BCCI Women (@BCCIWomen) June 18, 2022
23 જૂનથી શરૂ થતા આ પ્રવાસમાં ભારત ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે. આ સમયે ટીમની સુકાની હરમનપ્રીત કૌરને પૂછવામાં આવ્યું કે ટીમમાં મિતાલીનું સ્થાન કોણ લેશે તો તેણે કહ્યું, “આપણે બધા જાણીએ છીએ તેણે (મિતાલી) મહિલા ક્રિકેટ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને મને નથી લાગતું કે આ જગ્યા કોઈ ભરી શકે. જો તમે મિતાલી દી વિશે વાત કરો છો તો મને નથી લાગતું કે તેની જગ્યાએ કોઈ હશે.”
તેણે કહ્યું કે ટીમ આ પ્રવાસમાં વનડેમાં 300 રન બનાવવાનો પ્રયાસ કરશે. હરમનપ્રીતે કહ્યું, “અમે વર્લ્ડ કપમાં આવું કરવાની યોજના બનાવી હતી. પરંતુ અમે ત્યાં 270, 280 ના સ્કોર સુધી જ પહોંચી શક્યા. પરંતુ આ પ્રવાસમાં અમે 300થી વધુ રન બનાવવાનો પ્રયાસ કરીશું.