SLW vs INDW: ટીમ ઈન્ડિયા પર મિતાલી રાજ-ઝુલન ગોસ્વામીની ગેરહાજરીની શું અસર થશે, કેપ્ટન હરમનપ્રીતે જણાવ્યું

|

Jun 19, 2022 | 7:28 AM

Harmanpreet Kaur : ભારતીય મહિલા (Indain Women Cricket) ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં મહિલા ટીમ T20 અને ODI શ્રેણી રમશે. શ્રીલંકા જતા પહેલા સુકાની હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) મીડિયા સાથે વાત કરી હતી.

SLW vs INDW: ટીમ ઈન્ડિયા પર મિતાલી રાજ-ઝુલન ગોસ્વામીની ગેરહાજરીની શું અસર થશે, કેપ્ટન હરમનપ્રીતે જણાવ્યું
Harmanpreet Kaur (File Photo)

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ (Indian Women Team) ટીમ શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. અનુભવી ખેલાડી ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) અને મિતાલી રાજ (Mithali Raj) આ પ્રવાસમાં ટીમનો ભાગ નહીં હોય. સુકાની હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) એ આ પ્રતિક્રિયા આપી હતી. સુકાની હરમનપ્રીતનું માનવું છે કે, ટીમ માટે આ એક શાનદાર તક હશે. ભારતની સૌથી સફળ મહિલા બેટ્સમેન મિતાલીએ તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી છે જ્યારે ફાસ્ટ બોલર ઝુલનને ટીમમાં પસંદ કરવામાં આવી નથી.

હરમનપ્રીતે કહ્યું, “અમે અમારી ટીમ પર સખત મહેનત કરી રહ્યા છીએ, અમારી પાસે શાનદાર સંયોજનો છે. અમે પ્રથમ વખત સિનિયર ખેલાડીઓ વિના જઈ રહ્યા છીએ. તેથી નવી શરૂઆત કરવાના પરિપ્રેક્ષ્યમાં અમારા માટે આ સારો પ્રવાસ છે. આપણા બધા માટે એક ટીમ બનાવવાની આ એક મોટી તક છે. મને નથી લાગતું કે શ્રીલંકા અમારા માટે આસાન પ્રવાસ હશે.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અમે યુવા ખેલાડીઓને વધુ તક આપવા પર ભાર મુક્યો છેઃ હરમનપ્રીત

લાંબા સમયથી T20 ઈન્ટરનેશનલ ટીમનું નેતૃત્વ કરી રહેલી હરમનપ્રીતને ODI ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. તેણે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવા પર ભાર મૂક્યો હતો. ભારતીય કેપ્ટને કહ્યું, “અમે એવા યુવા ખેલાડીઓને તક આપીશું જે સારી ફિલ્ડિંગ કરી શકે અને 10 ઓવરની બોલિંગમાં સતત વિકેટ લેવાનો પ્રયાસ કરી શકે. અમે નાની વસ્તુઓ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એનસીએ (National Cricket Academy) માં આ બાબતો પર કામ કર્યું છે અને અમારી પાસે એક વિઝન છે. અમે તેને મેદાન પર લાવવાનો પ્રયાસ કરીશું.”

 

મને નથી લાગતું કે મિતાલીની જગ્યા કોઇ લઇ શકેઃ હરમનપ્રીત

23 જૂનથી શરૂ થતા આ પ્રવાસમાં ભારત ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે. આ સમયે ટીમની સુકાની હરમનપ્રીત કૌરને પૂછવામાં આવ્યું કે ટીમમાં મિતાલીનું સ્થાન કોણ લેશે તો તેણે કહ્યું, “આપણે બધા જાણીએ છીએ તેણે (મિતાલી) મહિલા ક્રિકેટ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને મને નથી લાગતું કે આ જગ્યા કોઈ ભરી શકે. જો તમે મિતાલી દી વિશે વાત કરો છો તો મને નથી લાગતું કે તેની જગ્યાએ કોઈ હશે.”

અમે 300થી વધુનો સ્કોર બનાવવાનો પ્રયાસ કરીશુંઃ હરમનપ્રીત

તેણે કહ્યું કે ટીમ આ પ્રવાસમાં વનડેમાં 300 રન બનાવવાનો પ્રયાસ કરશે. હરમનપ્રીતે કહ્યું, “અમે વર્લ્ડ કપમાં આવું કરવાની યોજના બનાવી હતી. પરંતુ અમે ત્યાં 270, 280 ના સ્કોર સુધી જ પહોંચી શક્યા. પરંતુ આ પ્રવાસમાં અમે 300થી વધુ રન બનાવવાનો પ્રયાસ કરીશું.

Next Article