AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar B’day: સચિને વિંટી પહેરવાથી ઈન્કાર કરી દીધો, પછી અંજલી સાથે આ રીતે થઈ હતી સગાઈ

Sachin Tendulkar Birthday: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે 50મો જન્મદિવસ છે. સચિનને પોતાની સગાઈ દરમિયાન અંજલીના હાથે વિંટી પહેરવાને બદલે હાથમાં કડુ પહેરવાનુ પસંદ કર્યુ હતુ.

Sachin Tendulkar B’day: સચિને વિંટી પહેરવાથી ઈન્કાર કરી દીધો, પછી અંજલી સાથે આ રીતે થઈ હતી સગાઈ
Tendulkar got kada from Anjali for his engagement
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 10:26 AM
Share

સગાઈ વખતે હાથમાં વિંટી પહેરાવવામાં આવે છે. આ માટેનુ કારણ પણ એમ માનવામાં આવે છે કે, હાથની આંગળીનુ કનેક્શન સીધુ દિલ સાથે હોય છે. એ ખાસ આંગળીને રિંગ ફિંગર એટલા માટે જ ઓળખવામાં આવે છે. રિંગ ફિંગર પર એક બીજાને વિંટી પહેરાવીને સગાઈ કરવામાં આવતી હોય છે. જોકે સચિન તેંડુલકરે પોતાની સગાઈમાં આંગળી પર વિંટી પહેરી નહોતી. સચિને જ વિંટી પહેરવાને બદલે હાથમાં કડું પહેરવાની વાત મૂકી હતી. આ માટે તેણે ખાસ કારણ બતાવ્યુ હતુ, જે અંજલીને પણ ખૂબ પસંદ આવ્યુ હતુ.

સચિન તેંડુલકરે આજે 50 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 1973માં સચિનને જન્મ થયો હતો. સચિન માટે આજે ખુશીઓનો દિવસ છે. સચિન તેંડુલકર અને અંજલીની સગાઈને લઈ આજે તમને હ્રદયસ્પર્શી કિસ્સો બતાવીશુ. સગાઈમાં વિંટીને બદલે કડું પહેરવાનુ ખાસ કારણ હતુ. સચિન અને અંજલીની મુલાકાત 1990માં થઈ હતી અને બંને વચ્ચે 1995માં જીવનની નવી સફર શરુ કરી હતી.

આ કારણથી વિંટીના પહેરી

અંજલી અને સચિનની સગાઈને લઈ કિસ્સો ખૂબ જાણીતો છે. સચિને સગાઈમાં વિંટી પહેરવાથી ના ભણી હતી, તેણે સગાઈમાં વિંટીને બદલે કડાનો આગ્રહ કર્યો હતો. આ માટેનુ ખાસ કારણ હતુ. સચિનનુ માનવુ હતુ કે, વિંટીને તેણે ક્રિકેટ રમવા દરમિયાન હાથમાંથી ઉતારી દેવી પડે, જ્યારે કડાને તો બેટિંગ કરતી વખતે પણ તે પહેરી રાખી શકે છે. વિંટી ખોવાઈ જવાની પણ સંભાવના રહેલી છે, જ્યારે કડું ખોવાઈ શકવાની સંભાવના ઓછી છે. આમ સગાઈની વિંટી હાથમાંથી અલગ ના કરવી પડે એટલા માટે જ તેણે કડા પર પસંદગી ઉતારી હતી.

આ રીતે થઈ હતી પ્રથમ મુલાકાત

મહાન ક્રિકેટર સચિનની મુલાકાત અંજલી સાથે પ્રથમ મુલાકાત એરપોર્ટ પર થઈ હતી. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અંજલી અને સચિને એક બીજાને પ્રથમ વાર જોયા હતા. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસથી મુંબઈ પરત ફર્યો હતો, જ્યારે અંજલી પોતાની માતાને એરપોર્ટ પર લેવા માટે ઉભી હતી. જ્યાં બંને પોતાના એક કોમન મિત્ર વડે મુલાકાત થઈ હતી. અંજલીને જોકે એ સમયે ક્રિકેટ પ્રત્યે એટલો લગાવ નહોતો. જોકે અંજલી સચિન સાથે ડેટ પર જવા સાથે ક્રિકેટની રમતને ધીરે ધીરે સમજવાની શરુઆત કરી હતી.

આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">