AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીએ લીધો સંન્યાસ ! 16 મેચો નુ જ રહ્યુ હતુ આઇપીએલ કરિયર

31 વર્ષનો ખેલાડી જમણા હાથનો ઝડપી બોલર છે અને તેણે IPL ની પીચ પર 16 મેચ રમી છે. તેણે આ 16 મેચમાં 7 વિકેટ લીધી છે.

IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીએ લીધો સંન્યાસ ! 16 મેચો નુ જ રહ્યુ હતુ આઇપીએલ કરિયર
Abhimanyu Mithun
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 10:02 AM
Share

IPL 2021 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) ની મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે છે. પરંતુ, આ મેચ પહેલા આરસીબીના એક જૂના ખેલાડીએ નિવૃત્તિ લઈ લીધી છે. નિવૃત્ત ખેલાડીની IPL કારકિર્દી 16 મેચની રહી છે. તેણે 2009 થી 2013 વચ્ચે આ તમામ મેચ રમી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ની આઈપીએલ ટીમના ખેલાડીનું નામ અમે અભિમન્યુ મિથુન છે.

31 વર્ષીય મિથુન જમણા હાથનો ઝડપી બોલર છે અને તેણે તેની 16 મેચની IPL કારકિર્દીમાં માત્ર 7 વિકેટ લીધી હતી. કર્ણાટકના ઝડપી બોલર અભિમન્યુ મિથુને (Abhimanyu Mithun ) અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફર્સ્ટ ક્લાસમાં પદાર્પણ કર્યાના માત્ર 10 મહિના બાદ જ ભારતીય ક્રિકેટમાં મિથુનની પસંદગી થઈ હતી. તેણે વર્ષ 2009-10માં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી.

અભિમન્યુ મિથુને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 4 મેચ રમી હતી. જેમાં તેણે 9 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 5 વનડેમાં 3 વિકેટ લીધી હતી. મિથુને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 103 મેચ રમી જેમાં તેણે 338 વિકેટ લીધી. જ્યારે તેની પાસે લિસ્ટ A અને T20 મેચમાં 205 વિકેટ છે.

સાઉથ આફ્રિકા સામેની મેચમાં ડેબ્યૂની મળી તક

અભિમન્યુ મિથુન પહેલા બરછી ફેંક (Javelin Thrower) ખેલાડી હતો પરંતુ તે પછી તેણે ક્રિકેટમાં પોતાનું ધામ જમાવ્યું. તેણે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વન-ડે મેચમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો. આ પછી તેણે શ્રીલંકા સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. નવેમ્બર 2019 માં, મિથુન ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર બોલર બન્યો હતો.

સન્યાસ પર આમ કહ્યુ મિથુને

નિવૃત્ત થતાં મિથુને કહ્યું કે તેમના દેશ માટે રમવું મારા માટે મોટી સિદ્ધિ હતી. આ ખુશીનું વર્ણન કરવું મુશ્કેલ છે. હું આ ક્ષણોને હંમેશા યાદ રાખીશ. મેં મારા ભવિષ્ય અને પરિવારને જોયા બાદ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું એમ પણ કહેવા માંગુ છું કે કર્ણાટક યુવા ઝડપી બોલરોથી ભરેલું છે, જો હું યોગ્ય સમયે નિવૃત્ત ન થાઉં તો તેમને કેવી રીતે તક મળશે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">