IPL 2025: રોહિત શર્મા બનશે LSGનો કેપ્ટન, સૂર્યકુમાર-પંત પણ બદલશે ટીમ? ઓક્શન પહેલા ચર્ચા શરૂ

|

Jul 20, 2024 | 6:27 PM

IPL 2025ની સિઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે અને હંમેશની જેમ તમામ ટીમોમાં ઘણા પરિવર્તનો થશે, પરંતુ પાછલી સિઝનની જેમ આ વખતે ટીમોમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન પણ બદલાય તેવી શક્યતા છે. એક સાથે અનેક ટીમોના ખેલાડીઓ અને કેપ્ટનશીપમાં મોટા ફેરફાર થઈ શકે છે, જેમાં સૌથી વધુ ચર્ચા રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને લઈ થઈ રહી છે.

IPL 2025: રોહિત શર્મા બનશે LSGનો કેપ્ટન, સૂર્યકુમાર-પંત પણ બદલશે ટીમ? ઓક્શન પહેલા ચર્ચા શરૂ
Rohit Sharma & Rishabh Pant

Follow us on

T20 વર્લ્ડ કપ 2024 જીત્યાને એક મહિનો પણ થયો નથી અને ભારતીય ચાહકોમાં કેપ્ટનશીપ અને ખેલાડીની પસંદગીને લગતા મુદ્દાઓ પર ફરીથી ચર્ચા થવા લાગી છે. નવા કોચ ગૌતમ ગંભીરના આગમન સાથે શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાતમાં લેવાયેલા નિર્ણયોએ આશ્ચર્યચકિત કરી દીધી છે. હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. સૌથી મહત્વની વાત એ છે કે તેની અસર માત્ર ટીમ ઈન્ડિયા પર જ નહીં પરંતુ આગામી વર્ષની IPL સિઝન પર પણ જોવા મળશે, જ્યાં કેપ્ટનશિપમાં ફેરફાર જોવા મળી શકે છે. જેમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને રિષભ પંતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

IPL 2024માં પરિવર્તનની પૂરી શક્યતા

સુકાનીપદને લઈને તમામ હોબાળોનું કારણ છેલ્લી સિઝન છે, જ્યારે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અચાનક પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી ફ્રેન્ચાઈઝી માલિકોએ ટીમના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવ્યો. ત્યારથી રોહિત અને હાર્દિક વચ્ચેના સંબંધો બગડ્યા હતા, જ્યારે સૂર્યકુમાર યાદવ જેવો સ્ટાર ખેલાડી પણ નારાજ હોવાનું કહેવાય છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને LSGના માલિક સંજીવ ગોએન્કાના વિવાદાસ્પદ વીડિયોએ પણ પરિવર્તનની શક્યતાઓ પર ભાર મૂક્યો છે.

ટીમો રોહિત-સૂર્યા પર નજર રાખશે

આ બધાની વચ્ચે રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી અને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, જ્યારે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેના કારણે આગામી સિઝન પહેલા મોટા ફેરફારોની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેનું કારણ આ વખતે યોજાનારી મેગા હરાજી છે. એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘણી ફ્રેન્ચાઈઝીઓ તેમના કેપ્ટન બદલવા માંગે છે અને તેમની નજર રોહિત અને સૂર્યકુમાર યાદવ પર છે. મુંબઈની કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ શું રોહિત MIમાં રહેવાનું પસંદ કરશે? કે પછી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ સૂર્યા મુંબઈમાં હાર્દિકની કેપ્ટનશીપમાં રમવા માંગશે?

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

રોહિત શર્મા લખનૌમાં સામેલ થશે?

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો રોહિત અને સૂર્યા મુંબઈથી અલગ થવાનું નક્કી કરે છે, તો લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમો તેને સાઈન કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, મોટો પ્રશ્ન એ છે કે KKRનો ચેમ્પિયન કેપ્ટન શ્રેયસ અય્યરને હટાવવાનો નિર્ણય કેટલો યોગ્ય રહેશે? માત્ર આ બે ફ્રેન્ચાઈઝી જ નહીં પરંતુ દિલ્હી કેપિટલ્સ પણ આ રેસમાં સામેલ થઈ શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી ફ્રેન્ચાઈઝી તેના વર્તમાન કેપ્ટન રિષભ પંતથી બહુ ખુશ નથી અને તેને રિટેન કરવો કે નહીં તે અંગે વિચારી રહી છે. જો પંત દિલ્હીમાંથી રિલીઝ થશે તો સૂર્યા કે રોહિતને તક મળી શકે છે.

શું પંત CSKમાં જશે?

બીજી તરફ, જો રિષભ પંત દિલ્હી છોડી દે છે, તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેને સ્વીકારવા તૈયાર થઈ શકે છે કારણ કે તેઓ એમએસ ધોનીના સ્થાને એક વિકેટકીપરની શોધમાં છે. રિપોર્ટમાં CSKના સૂત્રોએ કહ્યું છે કે તેઓ દેશના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરને સામેલ કરવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ કેએલ રાહુલ અને લખનૌનું અલગ થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં રાહુલ તેના ઘરે એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પરત ફરી શકે છે, જે પોતે ભારતીય કેપ્ટનની શોધમાં હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: Paris 2024: 117 એથ્લેટ પર 140 સપોર્ટ સ્ટાફ, સરકારે મેડલ જીતવા કર્યા પૂરા પ્રયાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:27 pm, Sat, 20 July 24

Next Article