Video : રોહિત શર્માની આંખોમાં આંસુ, જાણો એવું તો શું થયું કે હસતાં હસતાં રડી પડ્યો ‘હિટમેન’

રોહિત શર્માનો રડતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોહિતની પત્ની રિતિકા પણ તેની પાછળ બેઠી હતી. જાણો એવું તો શું થયું કે હસતાં હસતાં રડી પડ્યો 'હિટમેન' રોહિત શર્મા.

Video : રોહિત શર્માની આંખોમાં આંસુ, જાણો એવું તો શું થયું કે હસતાં હસતાં રડી પડ્યો હિટમેન
Rohit Sharma
Image Credit source: instagram
| Updated on: Oct 08, 2025 | 5:04 PM

રોહિત શર્માને ODI ટીમના કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો છે. 2027ના વર્લ્ડ કપમાં તે રમશે કે નહીં તે પણ નક્કી નથી. આ બધા સમાચાર વચ્ચે રોહિત શર્મા હળવા મૂડમાં જોવા મળ્યો હતો. રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે.

રોહિત શર્માની આંખોમાં આંસુ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં રોહિત શર્માની જોઈ ફેન્સની ચિંતા વધુ હતી, જો કે વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ આંસુ દુ:ખના નહીં પણ ખુશીના છે. રોહિત શર્માએ મંગળવારે CAT એવોર્ડ્સમાં હાજરી આપી હતી, જ્યાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તે પોતાની હસી રોકી શક્યો નહીં અને હસતાં હસતાં રડી પડ્યો.

રોહિત શર્મા હસતાં હસતાં રડી પડ્યો

CEAT એવોર્ડ્સ શોમાં મિમિક્રી સેશન શરૂ થયું ત્યારે રોહિત શર્મા પોતાની સીટ પર બેઠો હતો. સ્ટેજ પર મહેન્દ્ર સિંહ ધોનીની નકલ શરૂ થતાં જ રોહિત શર્મા હસવા લાગ્યો. તે એટલું જોરથી હસ્યો કે તેની આંખોમાં આંસુ આવી ગયા. રોહિતની પત્ની રિતિકા તેની પાછળ બેઠી હતી, અને તે પણ હસતી જોવા મળી.

 

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનો શ્રેય કોને આપ્યો?

રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ CAT એવોર્ડ્સમાં ખાસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેણે જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં રાહુલ દ્રવિડે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગૌતમ ગંભીર ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ટીમ ઈન્ડિયાનો હેડ કોચ હતો, પરંતુ રોહિત શર્માએ રાહુલ દ્રવિડનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ જીત દરમિયાન રાહુલ દ્રવિડે જે જીતની રીધમ સ્થાપિત કરી હતી તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ચાલુ રહી હતી, અને તેના પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા હતા.

ગંભીર અને રોહિત વચ્ચે બધું સારું નથી?

ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. શુભમન ગિલે તેમનું સ્થાન લીધું. એવું માનવામાં આવે છે કે ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે બધું સારું ન હતું. એવા પણ દાવા થઈ રહ્યા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને 2027ના વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.

આ પણ વાંચો: રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવતા જ આ ખેલાડીને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો