પાકિસ્તાની ખેલાડીઓ સ્વાર્થી કેમ છે? અશ્વિને આપ્યું મોટું કારણ, કહ્યું- મને દયા આવે છે

રવિચંદ્રન અશ્વિન માત્ર તેની બોલિંગ માટે જ નહીં પરંતુ તેના સ્પષ્ટ નિવેદન માટે પણ જાણીતો છે. આ ઓફ સ્પિનરે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર વિસ્ફોટક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ ટીમને બદલે પોતાના વિશે કેમ વિચારે છે.

પાકિસ્તાની ખેલાડીઓ સ્વાર્થી કેમ છે? અશ્વિને આપ્યું મોટું કારણ, કહ્યું- મને દયા આવે છે
Pakistan Team & Ravichandran Ashwin
Image Credit source: PTI
| Updated on: Oct 04, 2024 | 8:45 PM

હાલમાં જ પાકિસ્તાન ટીમના ODI અને T20 કેપ્ટન બાબર આઝમે અચાનક કેપ્ટનશીપ છોડી દીધી છે અને આર અશ્વિને આ ટીમની હાલત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અશ્વિને કહ્યું કે તેને પાકિસ્તાની ટીમ માટે દયા આવે છે. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પરના એક વીડિયોમાં કહ્યું છે કે પાકિસ્તાની ટીમમાં એક કરતા વધારે મહાન ખેલાડી છે. તેમની પાસે ઘણા સારા ખેલાડીઓ છે. પરંતુ તેની ટીમમાં મ્યુઝિકલ ચેર ચાલુ રહે છે. ત્યાં કેપ્ટન સતત બદલાતા રહે છે. બાબર ગયો, પછી શાહીન આફ્રિદી કેપ્ટન બન્યો અને પછી બાબર આઝમ કેપ્ટન બન્યો અને હવે તેણે પણ કેપ્ટનશીપ છોડી દીધી છે.

પાકિસ્તાનમાં અશ્વિનના નિવેદનને સમર્થન

પાકિસ્તાન ક્રિકેટ ટીમની સ્થિતિ પર અશ્વિને આપેલું નિવેદન પાકિસ્તાનમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પાકિસ્તાની પત્રકારો પણ આ નિવેદન સાથે સહમત છે. અશ્વિનના નિવેદનને ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે. આર અશ્વિન તેની બોલિંગની સાથે-સાથે તેના બેફામ નિવેદનો માટે જાણીતો છે અને આ જ કારણ છે કે તે મેચ ન રમતો હોય ત્યારે પણ હેડલાઈન્સમાં રહે છે.

 

પાકિસ્તાની ખેલાડીઓ કેમ બની રહ્યા છે સ્વાર્થી?

અશ્વિને પોતાના વીડિયોમાં ઈશારામાં સમજાવ્યું કે પાકિસ્તાનના ખેલાડીઓ ટીમના ભલાને બદલે પોતાના વિશે કેમ વિચારે છે. અશ્વિને કહ્યું કે જો ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ આવું જ રહેશે તો દરેક ખેલાડી માત્ર પોતાના હિત વિશે જ વિચારશે. ખેલાડીઓ ટીમના ભલા વિશે ક્યારેય વિચારશે નહીં.

આ પણ વાંચો: IND vs BAN : ગ્વાલિયરમાં ફિલ્ડિંગ સેશન દરમિયાન રવિ બિશ્નોઈએ કંઈક એવું કર્યું, સાથી ખેલાડીઓ ચોંકી ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:43 pm, Fri, 4 October 24