IND vs ENG: લોર્ડઝ પર સદી ચૂકી જવા બાદ રોહિત શર્માની કેવી હતી હાલત? પૂર્વ કોચ એ બતાવ્યો કિસ્સો, જાણો પૂરો મામલો
ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને ટેસ્ટ શ્રેણી રમી હતી. આ સીરીઝમાં રોહિત શર્મા (Rohit Sharma) એક એવી વસ્તુથી ચુકી ગયો જે દરેક બેટ્સમેન કરવા માંગે છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને ગુરુવારે ઇંગ્લેન્ડના હાથે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર 100 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની બોલિંગે અજાયબી કરી હતી પરંતુ બેટિંગ નિષ્ફળ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) થી લઈને વિરાટ કોહલી સુધી શિખર ધવન નિષ્ફળ રહ્યા હતા. આ મેચ જોઈને ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ એક જૂનો કિસ્સો શેર કર્યો છે. આ સ્ટોરી રોહિત શર્માની છે. ભારતીય ટીમ 2021માં ઈંગ્લેન્ડના પ્રવાસે હતી અને રોહિત શર્મા લોર્ડ્સમાં ખૂબ જ નજીક આવીને સદી નોંધાવવાથી ચૂકી ગયો હતો. ત્યારે રોહિત શર્માની કેવી પ્રતિક્રિયા રહી હતી તે શાસ્ત્રીએ જણાવ્યું છે.
આ બીજી ટેસ્ટ મેચની વાત છે. લોર્ડ્સમાં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 151 રનના માર્જીનથી હરાવીને પોતાની તાકાત બતાવી હતી. આ મેચમાં રોહિતે 83 રન બનાવ્યા હતા. જ્યારે એવું લાગતું હતું કે રોહિત લોર્ડ્સના ઓનર બોર્ડમાં પોતાનું નામ લખાવી લેશે, ત્યારે જ જેમ્સ એન્ડરસનના બોલે તેની ગીલ્લીઓ ઉડાવી દીધી હતી.
રોહિત શર્મા નિરાશ હતો
પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે સદીથી ચુકી ગયા બાદ રોહિત શર્મા કેટલો નિરાશ હતો અને કેવી પ્રતિક્રિયા આપી હતી. શાસ્ત્રીએ કહ્યું કે તે થોડા સમય માટે તેમના ઝોનમાં રહ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન ટિપ્પણી કરતા શાસ્ત્રીએ કહ્યું, “જ્યારે રોહિત આઉટ હતો ત્યારે તે ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો અને ટેબલ પર શાંતિથી બેસી ગયો હતો. તે નિરાશ થઈ ગયો. તે તે સદી ફટકારવા માંગતો હતો. લોર્ડ્સમાં સદી ફટકારવી એ કોઈપણ બેટ્સમેન માટે ખાસ લાગણી છે. તમે જોઈ શકો છો કે તે આના પર કેટલો હતાશ અનુભવી રહ્યો હતો. પરંતુ તેણે આ કામ ઓવલમાં કર્યું.
રોહિત શર્માએ અદ્ભુત કર્યુ હતુ
રોહિત એ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 368 રન બનાવ્યા હતા. ભારતને 2021માં ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની હતી. પરંતુ ચાર મેચ બાદ ટીમ ઈન્ડિયા પરત ફરી હતી, કારણ કે પાંચમી મેચ પહેલા કોરોના સંક્રમણ ટીમમાં ફેલાયુ હતુ. આમ બાકી રહેલ અંતિમ ટેસ્ટ મેચ આ વર્ષે એજબેસ્ટન ખાતે રમાઈ હતી જે ઈંગ્લેન્ડે જીતીને શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. ચાર ટેસ્ટ મેચોમાં રોહિતે 36, 83, 59, 127 રન બનાવ્યા હતા. રોહિતે ઓવલમાં ફટકારેલી સદી વિદેશી ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ સદી હતી.