ક્રિકેટ ચાહકો (Cricket Fans) ને એકવાર ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની રોમાંચક મેચ જોવા મળશે. આ મેચ આ મહિનાથી UAE માં યોજાનાર એશિયા કપ 2022 (Asia Cup 2022) માં રમાશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે.
આ બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં આમને સામને આવી હતી. ગયા વર્ષે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને (Pakistan Cricket) 10 વિકેટે જીત મેળવી હતી. આ અંગે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ (Rashid Latif) નું મોટું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે છેલ્લી વખત ટીમ ઈન્ડિયા (Team India) ભૂલથી પાકિસ્તાનની ટીમ જીતી હતી. આ વખતે પણ ભારતની ભૂલને કારણે પાકિસ્તાનની ટીમ જીતશે.
રશિત લતીફે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હાર, જીત ગમે તે હોય, પરંતુ રણનીતિની વાત કરીએ તો પાકિસ્તાન મજબૂત દેખાય રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ એક વર્ષમાં 7 સુકાની બદલ્યા છે. તેમના માટે ટીમ બનાવવી મુશ્કેલ હશે. તેની સાથે ખેલાડીઓ ચોક્કસપણે સારા છે. તેમ છતાં ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ 16 બનાવવા માટે સક્ષમ નથી. તેથી પ્લેઇંગ-11 પસંદ કરવું તેના માટે એક પડકાર હશે.
પૂર્વ પાકિસ્તાની સુકાની રાશિદ લતિફે વધુ કહ્યું કે, ‘છેલ્લી વખતે પાકિસ્તાન જીત્યું હતું. તે ભારતીય ટીમની ભૂલથી જીત્યું હતું. આ વખતે પણ ભારતની ભૂલને કારણે પાકિસ્તાનની ટીમ જીતશે.’
તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે રાજકીય મુદ્દાઓને કારણે 2012થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન (IND vs PAK) હંમેશા માત્ર ICC ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં જ ટકરાતા જોવા મળ્યા છે.
એશિયા કપ (Asia Cup 2022) બાદ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) આ વર્ષે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પણ રમવાના છે. આમાં પણ બંને ટીમો વચ્ચે મેચ થવાની છે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 23મી ઓક્ટોબરે યોજાવાની છે. તમને જણાવી દઈએ કે આ વખતે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ 13 નવેમ્બરના રોજ રમાશે.