
ટીમ ઇન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા તેમને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો, અને પછી સુપર 8 સ્ટેજમાંથી બહાર થઈ ગયુ. આ અપમાનને કારણે હવે પાકિસ્તાનના ખેલાડીઓ ઘમંડી બની રહ્યા છે અને ભારતીય ટીમ સામે ઝેર ઓકવા લાગ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે આ ચર્ચામાં મોખરે છે, અને ફરી એકવાર પોતાના નિવેદનથી મોટી ચર્ચા શરૂ કરી છે. ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ પછી, આમીરે કહ્યું કે સંજુ સેમસન તેના જીવનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યો, પરંતુ એમ પણ કહ્યું કે ભારત હજુ પણ સારું ક્રિકેટ રમી રહ્યું નથી.
ભારતની જીત પછી, આમીરની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી કારણ કે તેણે અગાઉ આગાહી કરી હતી કે ભારત સેમિફાઇનલમાં પહોંચશે નહીં. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત મેચ પહેલા એક કાર્યક્રમમાં, આમિરે દાવો કર્યો હતો કે ભારત સેમિફાઇનલમાં પહોંચશે નહીં. તેણે તો એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન બહાર થઈ જાય તો પણ ભારત ક્વોલિફાય ન થવું જોઈએ. પરંતુ પરિણામ બિલકુલ વિપરીત આવ્યુ.
એક કાર્યક્રમમાં તેણે કહ્યું, “સંજુ સેમસનએ તેના જીવનની સૌથી શાનદાર ઇનિંગ્સ રમી. મેં તેની આઈપીએલ અને અન્ય ઇનિંગ્સ જોઈ છે, પરંતુ કરો યા મરો મેચમાં આ પ્રકારની ઇનિંગ્સ ખાસ હતી. સેમસને 196 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. દબાણ ખૂબ જ હતું, અને સ્ટેડિયમમાં 65,000 થી વધુ દર્શકો હાજર હતા.
આમિર માને છે કે એક ઇનિંગ્સ ટીમની બધી ખામીઓને છુપાવી શકતી નથી. તેણે કહ્યું, “ક્રિકેટિંગના દૃષ્ટિકોણથી, ભારત હજુ પણ સારું ક્રિકેટ રમી રહ્યું નથી. તેમની ફિલ્ડિંગ જુઓ; ત્રણ કે ચાર કેચ છોડવામાં આવ્યા.” બુમરાહ સિવાય, બાકીના બોલરોને માર પડી રહ્યો છે. ટીમ ફક્ત એક બોલર પર આધાર રાખી રહી છે.
હવે ભારત 5 માર્ચે મુંબઈમાં સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે. ત્યાં, ભારતના પ્રદર્શનની ફરી એકવાર ખરા અર્થમાં કસોટી થશે, અને તે સ્પષ્ટ થઈ જશે કે આમિરના શબ્દોમાં કેટલી સત્યતા છે.
Published On - 6:33 pm, Mon, 2 March 26