વિરાટ કોહલી લગભગ 13 વર્ષ પછી રણજી ટ્રોફીની મેચમાં પ્રવેશ કરે તે પહેલા જ મોટો હોબાળો થયો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચેની મેચ પહેલા ઘણા ચાહકો ઘાયલ થયા હતા. વાસ્તવમાં, વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સવારથી સ્ટેડિયમની બહાર ઉભા હતા અને આ મેચની ટિકિટ ફ્રી હોવાથી હજારો લોકો ત્યાં પહોંચ્યા હતા. સ્ટેડિયમનો ગેટ ખૂલતાની સાથે જ ચાહકો ઉતાવળે એકબીજા પર પડ્યા હતા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.
વિરાટ કોહલી દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમવાની જાહેરાત થતાં જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો મેદાન પર એકઠા થશે. સુરક્ષા એજન્સીઓને પણ આ વાતની જાણ હતી. મેચના દિવસે સવારે 5 વાગ્યાથી જ ચાહકો સ્ટેડિયમની બહાર એકઠા થઈ ગયા હતા. આ પછી સ્ટેડિયમના દરવાજા ખુલતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. નાસભાગમાં ઘણા ચાહકો દટાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.
A 2KM long queue outside Arun Jaitley Stadium to watch Virat Kohli. pic.twitter.com/Yx5w4DlI9H
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025
માત્ર મેચ પહેલા જ નહીં પરંતુ મેચ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થી હતી, જ્યારે દિલ્હીની ફિલ્ડિંગ દરમિયાન એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો અને વિરાટ સુધી પહોંચ્યો હતો. તે પ્રશંસકે વિરાટના પગને સ્પર્શ કર્યો અને પછી પોલીસ તેને લઈ ગઈ. જ્યારે પોલીસે તેની સાથે કડક વલણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિરાટે પોલીસને આમ કરતા રોક્યા હતા.
A fan travelled from UP to watch Virat Kohli. pic.twitter.com/VPAiloxNKn
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025
મેચની વાત કરીએ તો દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ ટોસ જીતીને રેલવે સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ નિર્ણય બાદ દિલ્હીના ચાહકોની રાહ વધી ગઈ છે. વાસ્તવમાં ફેન્સ વિરાટ કોહલીની બેટિંગ જોવા માંગે છે. રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીના બેટથી ઘણા રન થાય છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 23 મેચમાં 50.77ની એવરેજથી 1574 રન બનાવ્યા છે. વિરાટે 5 સદી અને 5 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: ક્રિકેટમાં આવ્યું નવું ફોર્મેટ, હવે આટલી ઓવરની મેચ રમાશે, સ્ટાર ખેલાડીઓ લેશે ભાગ
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો