BCCI એ ટીમ ઈન્ડિયાથી આપી રજા, કેએલ રાહુલ આ દીવસે અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધને બંધાશે

શુક્રવારે રાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ન્યુઝીલેન્ડ સામેની ટી20 અને વનડે સિરીઝ તેમજ ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનુ એલાન કર્યુ હતુ. જેમાં રાહુલ અને અક્ષર પટેલને રજા અપાઈ હતી.

BCCI એ ટીમ ઈન્ડિયાથી આપી રજા, કેએલ રાહુલ આ દીવસે અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધને બંધાશે
KL Rahul will marry Athiya Shetty on January 23
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:37 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઘરેલુ વ્હાઈટ બોલ સિરીઝ માટે સ્ક્વોડ જાહેર કરવામાં આવી હતી. પહેલા ન્યુઝીલેન્ડ અને બાદમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવનાર છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે અને T20 સિરીઝ તથા ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા ની ઘોષણા શુક્રવારે રાત્રે કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલ અને અક્ષર પટેલને પારિવારીક કારણોસર કરાયેલી વિનંતીનુસાર રજા આપવાનુ દર્શાવવામાં આવ્યુ હતુ. મીડિયા રિપોર્ટનુસાર કેએલ રાહુલ એક સપ્તાહ બાદ લગ્ન કરવાનો છે અને જે માટે આ રજાઓ તેણે લીધી છે.

કેએલ રાહુલ બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે આગામી 23 જાન્યુઆરીએ લગ્નના ફેરા ફરશે. જે માટે તેણે આ રજાઓ મંજૂર કરાવી હોવાનુ પહેલાથી જ મીડિયામાં ચર્ચાઈ રહ્યુ છે. જોકે આ અંગે તેણે કોઈ જ ફોડ પાડ્યો નથી.

ખંડાલામાં યોજાઈ શકે છે લગ્ન કાર્યક્રમ

મીડિયા રિપોર્ટસ મુજબ આગામી 23 જાન્યુઆરીએ લગ્ન સમારોહને લઈ લગતા કાર્યક્રમ ખંડાલામાં યોજાઈ શકે છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહી શકે છે. સાથે જ બોલીવુડના સ્ટારની હાજરી જોવા મળી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેમજ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપસ્થિત રહી શકે છે. આ સ્ટાર ક્રિકેટરો પરીવાર સાથે નવદંપતીને આશિર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના રિપોર્ટ્સ છે. રોહિત અને વિરાટ આ બંને સ્ટાર ખેલાડીઓ T20 ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. આવામાં તેઓ લગ્નમાં હાજરી આપવા માટે સમય નિકાળી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે

અથિયા સાથે લગ્ન કર્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ વેળા ટીમ ઈન્ડિયા સાથે કેએલ રાહુલ જોડાશે. રાહુલ આ દરમિયાન વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ બીસીસીઆઈએ જાહેર કરી હતી. જેમાં કેએલ રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. નિયમીત કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડીયાનુ સુકાન સંભાળશે અને રાહુલ તેનો ડેપ્યુટી રહેશે.

ભારત માટે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વની છે. 4 ટેસ્ટ મેચોની સિરીઝ ભારત માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલનુ સ્થાન નક્કી કરશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઓછામાં ઓથી 3 મેચોમાં હાર આપવી જરુરી છે. આ પહેલા કેએલ રાહુલ તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વનડે મેચનો હિસ્સો હશે. 3 મેચની વનડે સિરીઝની આ અંતિમ વનડે મેચ છે અને જે બાદ તે ટીમ ઈન્ડિયાથી રજાઓ પર અલગ થશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">