AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England : કોણીની ઈજા છતાં ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમ સાથે ભારત આવશે જોફ્રા આર્ચર, જાણો કેમ

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રવિવારે વર્લ્ડ કપ માટે તેના 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જોફ્રા આર્ચરને આ 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે તે કોણીની ઈજાથી પીડાઈ રહ્યો છે. ECBના મુખ્ય પસંદગીકાર લ્યુક રાઈટે સોમવારે કહ્યું કે આર્ચર વર્લ્ડ કપ માટે ટીમ સાથે ભારત આવશે અને ટીમ સાથે રહેશે. વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે તે ટીમ સાથે જ રહેશે.

England : કોણીની ઈજા છતાં ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમ સાથે ભારત આવશે જોફ્રા આર્ચર, જાણો કેમ
Jofra Archer
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:36 PM
Share

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ (England) ક્રિકેટ ટીમ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપમાં પોતાના ખિતાબ બચાવવા પ્રયાસ કરશે. જોસ બટલરની કપ્તાનીવાળી ટીમ ખિતાબની પ્રબળ દાવેદારોમાંની એક છે. જોકે, તાજેતરમાં આ ટીમને એક ઝટકો લાગ્યો છે. જેસન રોય ઈજાના કારણે ODI વર્લ્ડ કપ (World Cup 2023) માંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ હેરી બ્રુકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા તેમનો વધુ એક સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચૂક્યો હતો, પરંતુ હવે સમાચાર છે કે આ તોફાની બોલર વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે ભારત આવશે.

આર્ચર રિઝર્વ ખેલાડી તરીકે ભારત આવશે

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રવિવારે વર્લ્ડ કપ માટે તેના 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જોફ્રા આર્ચરને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે તે કોણીની ઈજાથી પીડાઈ રહ્યો છે. ECB ચીફ સિલેક્ટર લ્યુક રાઈટે સોમવારે કહ્યું કે આર્ચર રિઝર્વ ખેલાડી તરીકે વર્લ્ડ કપમાં ટીમ સાથે જશે.

જોફ્રા આર્ચર કોણીની ઈજાથી પરેશાન

જોકે, લ્યુક રાઈટે સ્પષ્ટ કર્યું છે કે જોફ્રા આર્ચર ટીમ સાથે જશે પરંતુ તેને કાળજી રાખવી પડશે. તેનું સમગ્ર ધ્યાન ઈજમાંથી સાજા થવા પર રહેશે. IPL દરમિયાન આર્ચર ઈજાગ્રસ્ત થયો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો અને તે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે IPL-2023 દરમિયાન અધવચ્ચે બેલ્જિયમ પણ ગયો હતો અને પોતાની કોણીની સર્જરી કરાવીને પાછો આવ્યો હતો. આર્ચર લાંબા સમયથી ઈજાથી પરેશાન છે. તેણે આ વર્ષે કોઈ રીતે પુનરાગમન કર્યું હતું પરંતુ તે પછી IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો. 6 મે, 2023ના રોજ, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની છેલ્લી મેચ રમી હતી પરંતુ ત્યારબાદથી તે ફરી મેદાનમાં રમવા ઉતર્યો નથી. તેની ગેરહાજરી ઈંગ્લેન્ડની ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : એશિયા કપમાં મોહમ્મદ સિરાજના પ્રદર્શનથી આનંદ મહિન્દ્રા ખુશ, નવી SUV કાર ગિફ્ટ કરશે

વર્લ્ડ કપ ડિફેન્સ કરવો મોટો પડકાર

ઈંગ્લેન્ડ સામે તેનું ટાઈટલ બચાવવાનો મોટો પડકાર છે. ઈંગ્લેન્ડની ટીમ ખૂબ જ મજબૂત છે અને આ ટીમની બેટિંગ ઘણી ઊંડી છે. ટીમમાં જોસ બટલર, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન જેવા બેટ્સમેન છે. આ બેટ્સમેનો તેમની તોફાની બેટિંગ માટે જાણીતા છે. જો જેસન રોય હોત તો ટીમની બેટિંગ વધુ તોફાની બની ગઈ હોત. જ્યાં સુધી બોલિંગની વાત છે તો ટીમમાં માર્ક વુડ, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ઋષિ ટોપલી, આદિલ રાશિદ, સેમ કરન જેવા બોલર છે. જોકે, ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે ભારતમાં રમવું આસાન નહીં હોય. અહીંની ગરમ અને સ્પિન ફ્રેન્ડલી પીચો પર ઇંગ્લેન્ડના બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">