આયર્લેન્ડ પહોંચ્યા બાદ પ્રેક્ટિસ કરવાને બદલે ભારતીય ખેલાડીઓ સાઇકલ ચલાવી

|

Jun 26, 2022 | 6:54 AM

Cricket : ભારત અને આયર્લેન્ડ (IRE vs IND) વચ્ચે 26 જૂને શ્રેણીની પ્રથમ T20 મેચ રમાશે અને 28 જૂનના રોજ બીજી મેચ રમાશે. આ શ્રેણી માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

આયર્લેન્ડ પહોંચ્યા બાદ પ્રેક્ટિસ કરવાને બદલે ભારતીય ખેલાડીઓ સાઇકલ ચલાવી
Dinesh Kartik, Yuzvendra Chahal and Ruturaj Gaikwad (PC: Chahal Instagram)

Follow us on

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ટીમ ઈન્ડિયા (Team India) ની ટીમનો ભાગ છે. જે બે મેચની T20 શ્રેણી માટે આયર્લેન્ડના પ્રવાસે છે. ઓપનિંગ મેચ પહેલા સ્ટાર લેગ સ્પિનર ​​પોતાના સાથી ખેલાડીઓ સાથે સાઇકલ ચલાવતો જોવા મળ્યો હતો. ચહલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે દિનેશ કાર્તિક (Dinesh Kartik) અને રૂતુરાજ ગાયકવાડ સાથે સાઈકલ ચલાવતો જોવા મળ્યો હતો.

શુક્રવારે (24 જૂન) દિનેશ કાર્તિક (Dinesh Kartik), યુઝવેન્દ્ર ચહલ અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) એ ધ જોન્સટાઉન એસ્ટેટમાં સાયકલ ચલાવવાની મજા માણી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ અહીં આયર્લેન્ડમાં રોકાઈ છે. ચહલે તેના વિશે એક તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, “રાઈડ ઈટ 🚲.”

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અહીં જુઓ યુઝવેન્દ્ર ચહલની એ પોસ્ટ

 

 

યુઝવેન્દ્ર ચહલ હાલ પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે

ચહલે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી T20I માં સારું ફોર્મ બતાવ્યું હતું. લેગ-સ્પિનરે પાંચ મેચમાં છ વિકેટ લીધી અને આ સમય દરમિયાન તેણે 8.18ના યોગ્ય ઇકોનોમી રેટથી રન આપ્યા. તે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં બોલ સાથે શાનદાર ફોર્મમાં હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ચહલે 17 મેચમાં 27 વિકેટ લીધી હતી અને તે આ વર્ષે લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો અને પર્પલ કેપ મેળવી હતી.

સાઉથ આફ્રિકા સામેની સીરિઝ દરમ્યાન અનુક ખેલાડીઓમે આરામ આપ્યો હતો

તો બીસીસીઆઈએ હાલમાં જ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની હોમ T20I શ્રેણી બાદ મર્યાદિત ઓવરોની ક્રિકેટ રમતા ખેલાડીઓને ત્રણ દિવસનો વિરામ આપ્યો હતો. હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રુતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ આગામી શ્રેણી માટે આયર્લેન્ડ પહોંચી ગયા છે.

 

આયરલેન્ડ સામેની સીરિઝની શરૂઆત 26 જૂનથી થશે

આયરલેન્ડ અને ભારત વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 26 જૂને રમાશે. જ્યારે બીજી મેચ 28 જૂને રમાશે. આ બંને મેચ ડબલિનમાં રમાશે. ભારતની સિનિયર ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે હોવાથી આ શ્રેણી માટે હાર્દિક પંડ્યાને સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે હાર્દિક પંડ્યા પહેલીવાર કોઇ આંતરરાષ્ટ્રીય મેચમાં સુકાની પદ સંભાળી રહ્યો છે.

Published On - 2:52 pm, Sat, 25 June 22

Next Article