IRE vs IND : આયરલેન્ડ સામેની મેચમાં કોણ કરશે વિકેટકીપિંગ: દિનેશ કાર્તિક, ઈશાન કિશન કે સંજુ સેમસન, જાણો ગાવસ્કરે શું કહ્યું…

|

Jun 26, 2022 | 10:16 AM

Cricket : ભારત (Team India) માટે 11 વનડે રમનાર રોહન ગાવસ્કરે સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વિશે વાત કરતા કહ્યું કે મારા માટે તે ભારતીય T20 ટીમમાં પ્રથમ નામોમાંથી એક છે. કારણ કે તે બહુમુખી પ્રતિભાશાળી અને તેજસ્વી ક્રિકેટર છે.

IRE vs IND : આયરલેન્ડ સામેની મેચમાં કોણ કરશે વિકેટકીપિંગ: દિનેશ કાર્તિક, ઈશાન કિશન કે સંજુ સેમસન, જાણો ગાવસ્કરે શું કહ્યું...
Dinesh Kartik and Sanju Samson (File Photo)

Follow us on

આયરલેન્ડ ટીમ સામેની 2 મેચની ટી20 સીરિઝ (T20 Series) માટે ભારતીય ટીમ (Team India) માં દિનેશ કાર્તિક, ઇશાન કિશન અને સંજુ સેમસનને 17 સભ્યોની ટીમમાં ત્રણ વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે આયર્લેન્ડ સામેની મેચમાં આ ત્રણમાંથી કોને વિકેટકીપિંગ કરવું જોઈએ. આ અંગે ભારતના પૂર્વ ક્રિકેટર રોહન ગાવસ્કર (Rohan Gavaskar) એ તેના વિશે જણાવ્યું. રોહન ગાવસ્કરે આ જવાબદારી માટે અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિક (Dinesh Kartik) નું નામ પસંદ કર્યું. રિષભ પંતની ગેરહાજરીમાં ભારત પાસે આ T20I શ્રેણીમાં દિનેશ કાર્તિક, ઇશાન કિશન અને સંજુ સેમસનના રૂપમાં ત્રણ વિકેટકીપરનો વિકલ્પ છે.

રોહન ગાવસ્કરના મતે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે દિનેશ કાર્તિકનો સમાવેશ કરવો જોઈએ. જ્યારે ઈશાન કિશન અને સંજુ સેમસનને પણ બેટ્સમેન તરીકે પસંદ કરવા જોઈએ. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રોહને કહ્યું કે, તમે આ ત્રણ ખેલાડીઓને આર્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરી શકો છો. પરંતુ વિકેટકીપર તરીકે હું દિનેશ કાર્તિકને સપોર્ટ કરીશ. જોકે હું સંમત છું કે ઇશાન કિશન અને સંજુ સેમસન બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું જોઈએ.

સુર્યકુમાર યાદવ તેજસ્વી ક્રિકેટર છેઃ રોહન ગાવસ્કર

ભારત માટે 11 વનડે રમનાર સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વિશે વાત કરતા રોહન ગાવસ્કરે કહ્યું કે મારા માટે તે ભારતીય T20 ટીમમાં પ્રથમ નામોમાંથી એક છે. કારણ કે તે બહુમુખી પ્રતિભાશાળી અને તેજસ્વી ક્રિકેટર છે. તમે ઇચ્છો છો કે તેના જેવો બેટ્સમેન ફોર્મમાં રહે અને તેના માટે કંઈક હાંસલ કરવાની સાથે સાથે કેટલાક રન બનાવવાની આ યોગ્ય તક છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઉમરાન મલિક રોકેટની જેમ બોલિંગ કરે છેઃ રોહન

તો બીજી તરફ રોહન ગાવસ્કરે ભારતના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) વિશે પણ વખાણ કર્યા હતા. મહત્વનું છે કે ઉમરાન મલીક IPL 2022 માં શાનદાર બોલિંગ કરતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેને લઇને રોહન ગાવસ્કરે કહ્યું કે, તે IPL 2022માં ખૂબ જ અસરકારક હતો. તે રોકેટની જેમ બોલિંગ કરી રહ્યો હતો અને માત્ર રોકેટની જેમ બોલિંગ જ નહીં પરંતુ વિકેટ પણ લેતો હતો. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે બોલિંગનું અદ્ભુત પેકેજ છે.

Next Article