
30 મેના રોજ કોલકાતામાં 65 ટકા વરસાદ પડવાની ધારણા છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફાઈનલ મેચ કોલકાતાને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 9 મેના રોજ ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. આ સિઝનમાં 57 મેચ રમાઈ છે. જ્યારે કુલ 74 મેચ રમવાની હતી. આ રીતે, હજુ પણ 17 મેચ રમવાની બાકી છે, જેમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગી શકે છે.

BCCI આ લીગનું શક્ય તેટલું જલ્દી આયોજન કરવાનું વિચારી રહ્યું છે. આ માટે BCCI સુરક્ષિત સ્થળ પણ શોધી રહ્યું છે. IPLમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. હવે નવી તારીખોની જાહેરાત થતા જ આ ખેલાડીઓ ફરીથી IPL રમવા માટે ભારત આવશે. જોકે, કેટલાક વિદેશી ખેલાડીઓના આગમન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. (All Photo Credit : PTI)