IPL 2024: હાર્દિક પંડ્યા પર સવાલ ઉઠાવનારાઓને ગૌતમ ગંભીરે આપ્યો જવાબ, આ 2 દિગ્ગજોને સૌથી ખરાબ કેપ્ટન કહ્યા

|

May 14, 2024 | 6:02 PM

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ હારનો દોષ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર નાખવામાં આવી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે અને તેના ટીકાકારો પર નિશાન સાધ્યું છે. ગંભીરે એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસન વિરુદ્ધ પણ મોટું નિવેદન આપ્યું હતું.

IPL 2024: હાર્દિક પંડ્યા પર સવાલ ઉઠાવનારાઓને ગૌતમ ગંભીરે આપ્યો જવાબ, આ 2 દિગ્ગજોને સૌથી ખરાબ કેપ્ટન કહ્યા
Gautam Gambhir

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL 2024માં ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર ગૌતમ ગંભીર તેના સમર્થનમાં આવ્યો છે. ગૌતમ ગંભીરનું માનવું છે કે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈનું પ્રદર્શન ચોક્કસપણે ખરાબ રહ્યું છે પરંતુ તેને વધુ તક મળવી જોઈએ.

પીટરસન અને ડી વિલિયર્સની કરી ટીકા

ગૌતમ ગંભીરે હાર્દિકની ટીકા કરતા ટીકાકારો પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેણે એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસન જેવા દિગ્ગજ ખેલાડીઓને સૌથી ખરાબ કેપ્ટનોમાંથી એક ગણાવ્યા હતા. તાજેતરમાં પીટરસન અને ડી વિલિયર્સે પંડ્યાની કેપ્ટનશિપમાં રહેલી ખામીઓ દર્શાવી હતી.

ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘હાર્દિક પંડ્યા કોઈ અન્ય ફ્રેન્ચાઈઝીથી મુંબઈ આવ્યો છે અને તેને સેટલ થવામાં થોડો સમય લાગશે. તેને સમય આપવો પડશે. જો તમે અચાનક તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખો છો તો તે ખોટું છે. તેને થોડો સમય આપવો પડશે. દરરોજ, દરેક મેચમાં તેને જજ કરવું બિલકુલ યોગ્ય નથી. જે નિષ્ણાતો તેની ટીકા કરી રહ્યા છે તેઓએ એક કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન જોવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

નિષ્ણાતો શું કહે છે તે મહત્વનું નથી

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે, નિષ્ણાતો શું કહે છે તે મહત્વનું નથી, તેમનું કામ કંઈક કહેવાનું છે જો મુંબઈએ સારું પ્રદર્શન કર્યું હોત તો દરેકે હાર્દિકના વખાણ કર્યા હોત. જો આવતા વર્ષે પણ આવું જ થશે તો નિષ્ણાતો કંઈક બીજું જ કહેશે. તેઓ આ વર્ષથી સાવ અલગ વાત કરી શકે છે. મુંબઈએ સારું પ્રદર્શન કર્યું નથી અને તેથી જ દરેક તેની વાત કરી રહ્યા છે.

IPL 2024 હાર્દિક માટે ખૂબ જ ખરાબ હતું

IPL 2024 જો કોઈ ખેલાડી માટે સૌથી ખરાબ રહ્યું હોય તો તે કદાચ હાર્દિક પંડ્યા હશે. આ સિઝનમાં હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળી, છેલ્લી બે સિઝનમાં તે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો અને ટીમ એક વખત ચેમ્પિયન બની હતી અને બીજી વખત ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ મુંબઈ આવતાની સાથે જ હાર્દિક પંડ્યાની રમત બગડી ગઈ. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને પછી તેને ચાહકોની નારાજગી સહન કરવી પડી, આ સિવાય ટીમનું પ્રદર્શન પણ ઘણું ખરાબ રહ્યું હતું. IPL પ્લેઓફની રેસમાંથી સૌથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ બહાર થઈ ગયું હતું અને આ દરમિયાન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થયા હતા.

આ પણ વાંચો : સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ગળે લગાવ્યો, ઠપકો આપ્યા બાદ ડિનર પાર્ટી આપી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article