AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ખેલાડીઓ પર T20 WC બાદ થશે ધનવર્ષા, આ તારીખે થશે ઓક્શન

IPL 2023 માટે મીની હરાજી (IPL Auction) પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે.

IPL 2023: ખેલાડીઓ પર T20 WC બાદ થશે ધનવર્ષા, આ તારીખે થશે ઓક્શન
IPL 2023 Auction ડિસેમ્બરમાં થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 10:22 PM
Share

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) શરૂ થઈ ગયો છે. ભારતીય ટીમ (Indian Cricket Team) 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા વિજયી શરૂઆત સાથે ખિતાબ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. ટીમના તમામ ખેલાડીઓની નજર ટાઈટલ પર છે, સાથે જ પોતાની તાકાત પણ બતાવી રહી છે, કારણ કે વર્લ્ડ કપ ફાઈનલ બાદ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે. IPL 2023 ની હરાજી (IPL 2023 Auction) ની તારીખ સામે આવી ગઈ છે. મીડિયા અહેવાલ અનુસાર વર્લ્ડ કપ ફાઈનલના એક મહિના બાદ બેંગલુરુમાં આઈપીએલ હરાજી થશે.

સમાચાર અનુસાર, ખેલાડીઓ પર બિડિંગ 16 ડિસેમ્બરે થશે. IPL 2023 માં લગભગ 3 વર્ષ પછી હોમ અને અવે ફોર્મેટ પરત આવશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.

પર્સમાં 5 કરોડનો વધારો થશે.

હરાજીમાં પર્સના પૈસા પણ વધ્યા હશે. IPL 2022 ની મેગા ઓક્શનમાં સેલરી પર્સ 90 કરોડ રૂપિયા હતી, જ્યારે આ વખતે તે 95 કરોડ રૂપિયા થઈ શકે છે. એટલે કે ગત વખત કરતા રૂ.5 કરોડ વધુ છે. ગયા વર્ષે મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે મીની હરાજી થશે.

રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી ટૂંક સમયમાં તૈયાર કરવી પડશે

તે જ સમયે, અન્ય એક મીડિયા રીપોર્ટ અનુસાર, તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને તેમના તમામ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી 15 નવેમ્બર સુધીમાં સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. IPL 2022 માં 2 નવી ટીમોએ ડેબ્યૂ કર્યું. મેગા ઓક્શનમાં નવી અને જૂની ફ્રેન્ચાઈઝીને વધુમાં વધુ 4 ખેલાડીઓને રિટેન કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આઈપીએલ 2023ની મીની ઓક્શનમાં આવી કોઈ મર્યાદા નથી.

હોમ અવે ફોર્મેટમાં IPL 2023

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ 22 સપ્ટેમ્બરે રાજ્ય સંઘોને લખેલા પત્રમાં કહ્યું હતું કે IPLની આગામી સિઝન ફરીથી 10 ટીમો સાથે હોમ અને અવે ફોર્મેટમાં રમાશે.

ગાંગુલીને બીસીસીઆઈ છોડવુ નિશ્ચિત

સૌરવ ગાંગુલીની બીસીસીઆઈ પ્રમુખ પદની ખુરશી પણ હચમચી ગઈ છે અને બીસીસીઆઈમાંથી તેમની બહાર નીકળવાનું લગભગ નિશ્ચિત છે. એટલે કે ટૂંક સમયમાં બોર્ડની કમાન અન્ય કોઈના હાથમાં જોવા મળશે. આવી સ્થિતિમાં, નવા પ્રમુખ સાથે IPL 2023 નું આયોજન કરવું વધુ રસપ્રદ રહેશે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">