IPL 2022: એલિમિનેટર ના થઈ શકે તો RCB રમ્યા વિના જ થઈ જશે બહાર, પ્લેઓફ-ફાઈનલ માટે નવા નિયમ!

IPL 2022 પ્લેઓફ મેચો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોલકાતા અને અમદાવાદમાં યોજાનારી પ્લેઓફ અને ફાઈનલ મેચમાં વરસાદની સ્થિતિમાં શું થશે તે અંગે BCCI એ મોટી જાહેરાત કરી છે.

IPL 2022: એલિમિનેટર ના થઈ શકે તો RCB રમ્યા વિના જ થઈ જશે બહાર, પ્લેઓફ-ફાઈનલ માટે નવા નિયમ!
IPL 2022 ના નવા નિયમ પ્રમાણે RCB પર જ લટકતી તલવાર!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 9:41 PM

IPL 2022 નો પ્લેઓફ રાઉન્ડ મંગળવારથી શરૂ થવાનો છે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્રથમ ક્વોલિફાયર (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 1) માં ટકરાશે, ત્યારબાદ બુધવારે લખનૌ-બેંગ્લોર વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચો પહેલા BCCI એ એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પ્લેઓફ મેચોના નિયમો વિશે છે જે ખૂબ જ રસપ્રદ છે. આઇપીએલ 2022 (IPL 2022 Playoff-Final Rules) ના નવા નિયમો અનુસાર, જો પ્લેઓફ મેચો ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થાય અને મેચ સમયસર યોજાઈ ન શકે, તો સુપર ઓવર દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. મતલબ કે જો કોઈક રીતે મેચ અટકાવવામાં આવે તો 6-6 બોલની મેચ થશે. જો મેદાન પર મેચ ન રમી શકાય તો લીગ તબક્કામાં સારૂ પ્રદર્શન કરનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

મતલબ કે જો ગુજરાત-રાજસ્થાન વચ્ચેની મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો ન હતો, તો હાર્દિક પંડ્યાની ટીમ વિજેતા જાહેર કરવામાં આવશે, કારણ કે લીગ તબક્કામાં તે ટીમ નંબર 1 પર રહી છે. તેવી જ રીતે લખનૌ-બેંગ્લોર મેચમાં જો એક પણ બોલ ફેંકી ન શકાય તો ડુ પ્લેસિસની ટીમ રમ્યા વિના IPL માંથી બહાર થઈ જશે. તમને જણાવી દઈએ કે IPL ની પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ થવાની છે. જે કોલકાતામાં યોજાનાર છે અને ત્યાંનું હવામાન સારું નથી. છેલ્લા બે દિવસથી વાવાઝોડું અને વરસાદ પડી રહ્યો છે અને આગામી સપ્તાહ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.

પ્લેઓફ મેચો મોડી શરૂ થઈ શકે છે

તમને જણાવી દઈએ કે જો ત્રણ પ્લેઓફ મેચ શરૂ થવામાં વિલંબ થાય છે તો તેના માટે પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નિયમો અનુસાર, મેચ રાત્રે 9.40 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. ફાઇનલમાં પણ આવી જ જોગવાઇ છે. જો ખરાબ હવામાનને કારણે મેચમાં વિલંબ થાય છે, તો તે રાત્રે 10.10 વાગ્યે પણ શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફાઈનલનો પ્રારંભ સમય રાત્રે 8 વાગ્યાનો છે. જો ફાઈનલ મેચમાં એક પણ બોલ ફેંકી ન શકાય તો તેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો કે, બે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ માટે કોઈ અનામત દિવસ નથી. જો ક્વોલિફાયર અને એલિમિનેટર મેચોમાં પ્રથમ દાવનો વિરામ હોય અને વરસાદ બીજા દાવમાં વિક્ષેપ પાડે, તો મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમ દ્વારા નક્કી કરવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફાઈનલ મેચ બે દિવસમાં પણ યોજાઈ શકે છે

નવા નિયમ અનુસાર, જો IPL 2022 ની ફાઈનલ વરસાદને કારણે અધવચ્ચે જ રોકી દેવામાં આવે છે, તો તે બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર જ્યાંથી રમત બંધ થઈ હતી ત્યાંથી શરૂ થશે. જો ફાઈનલમાં ટોસ બાદ રમત બંધ કરવામાં આવે અને કોઈ બોલ ફેંકવામાં ન આવે તો રિઝર્વ ડે પર ફરીથી ટોસ યોજવામાં આવશે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">