IPL 2022: KL Rahul એ જ ડુબાડી લખનૌ સુપર જાયન્ટ્સની નૌકા, ખરાબ ફિલ્ડીંગ તો રોવા માટેનુ એક બહાનુ!
કેએલ રાહુલે (KL Rahul) મેચ બાદ કહ્યું કે અમે ફિલ્ડિંગમાં ઘણી ભૂલો કરી, જેના કારણે અમે હારી ગયા. રાહુલનું આ નિવેદન સાચું પણ છે, પરંતુ આમ કહીને તેઓ તેની પાછળ છુપાયેલા અન્ય સત્યને નકારી શકે નહીં.
IPL 2022 ની એલિમિનેટર મેચમાં RCB સામે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ને 14 રનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હરાવ્યું હતું. આ હારને કારણે ટીમની બહાર થયા બાદ LSG ના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ખરાબ ફિલ્ડિંગ માટે રોતો જોવા મળ્યા હતા. પરંતુ સાચી વાત તો એ છે કે ખરાબ ફિલ્ડિંગ માત્ર એક બહાનું છે. લખનૌની હારનું સાચું કારણ ખુદ તેનો કેપ્ટન કેએલ રાહુલ છે. આ વાંચીને તમે ચોંકી જશો. મનમાં સવાલો પણ ઉઠતા જ હશે કે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા બાદ રાહુલની હારનું કારણ શું હતું? તો તમારા આ સવાલનો જવાબ પણ તેના દ્વારા બનાવેલા રન, તેની બેટિંગમાં છુપાયેલો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈડન ગાર્ડનની પાતા વિકેટ પર પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં 208 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 193 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. આ હાર બાદ કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે અમે ફિલ્ડિંગમાં ઘણી ભૂલો કરી, જેના કારણે અમે હારી ગયા. રાહુલનું આ નિવેદન સાચું પણ છે, પરંતુ આ સત્ય કહીને તેઓ તેની પાછળ છુપાયેલા અન્ય સત્યને નકારી શકે નહીં. અને, તે સત્ય તેની પોતાની બેટિંગ છે.
200 પ્લસ ટાર્ગેટ, છતાં નીચો સ્ટ્રાઈક રેટ
કેએલ રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 58 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 136.20 હતો. તેણે 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. હવે કુલ 200 પ્લસ રનનો પીછો કરતા 136.20નો સ્ટ્રાઈક રેટ અને 43 બોલમાં અડધી સદી, બંને સમજમાં ના આવે એમ લાગે છે. એલિમિનેટર જેવી મહત્વની મેચમાં જ્યારે તમને ખબર હોય કે જીત અને હાર સાથે શું થવાનું છે, તે પ્રકારની ઈનિંગ્સમાં 40મા બોલ સુધી જેમાં રન અને બોલ બંને સરખા હોય, તો ટીમને હાર નહીં મળે તો બીજું શું થશે?
4 બોલ વધુ રમ્યા પરંતુ 33 રન ઓછા બનાવ્યા
હવે ફક્ત કેએલ રાહુલની ઈનિંગ્સને રજત પાટીદારની ઈનિંગ્સ સાથે સરખાવો જેથી ચિત્ર વધુ સ્પષ્ટ થાય. કેએલ રાહુલે રજત પાટીદાર કરતાં 4 બોલ વધુ રમ્યો હતા. પરંતુ તેના કરતા 33 રન ઓછા બનાવ્યા. બેટિંગ વચ્ચે જોવા મળેલા આ તફાવતને કારણે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમની નૌકા ડૂબવાની જ હતી.
Rajat Patidar: 112 off 54 balls. KL Rahul : 79 off 58 balls.
These two contrasting innings decided the fate of the game. Didn’t quite understand what KL was doing in the middle overs knocking 1s & 2s. You’ve all the shots but still don’t want to play it? #LSG #IPL2022
— ದೊಡ್ಡ ಗಣೇಶ್ | Dodda Ganesh (@doddaganesha) May 25, 2022
લખનૌ સુપર જાયન્ટ્સ માટે, કેએલ રાહુલે 136.20 ના સ્ટ્રાઈક રેટથી 58 બોલમાં 79 રન બનાવ્યા. તે જ સમયે, બાકીના બેટ્સમેનોએ મળીને 62 બોલમાં 92 રન બનાવ્યા હતા. એટલે કે તેનો સ્ટ્રાઈક રેટ 148 હતો. જો તમે આ જ વાતની સરખામણી RCB માટે રમનાર રજત પાટીદાર અને તેના બાકીના બેટ્સમેનોની ઇનિંગ્સ સાથે કરશો તો તમને કેએલ રાહુલની ભૂલનો ખ્યાલ આવી જશે. રજત પાટીદારે 54 બોલમાં 207ના સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા હતા. તે જ સમયે, બાકીના બેટ્સમેનોએ માત્ર 127ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 66 બોલમાં 85 રન બનાવ્યા.
રાહુલની બેટિંગ અપેક્ષાઓથી ખાલી!
કહેવાનો મતલબ એ છે કે કોઈએ મેચ પૂરી કરવાની જવાબદારી લેવી પડી હતી. રજત પાટીદારે જે રીતે RCB માટે તે જવાબદારી નિભાવી, કેએલ રાહુલ એક જાણકાર બેટ્સમેન અને કેપ્ટન તરીકેની ક્ષમતામાં તે નિભાવી શક્યો નહીં. પરિણામ સૌની સામે છે. RCB એ કોલકાતાથી અમદાવાદની ફ્લાઇટ પકડી છે અને કેએલ રાહુલની LSG હવે IPL 2022 માંથી બહાર છે.