IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝી પર સટ્ટાબાજી સાથે સંબંધને લઇને મુશ્કેલી વધી, BCCI એ કાનૂની મદદ માંગી

CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી (Ahmedabad franchise) હસ્તગત કરી હતી. પરંતુ હજુ સુધી BCCI ના લેટર ઓફ ઇંન્ટેટ પર તેમના વતી હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી.

IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝી પર સટ્ટાબાજી સાથે સંબંધને લઇને મુશ્કેલી વધી, BCCI એ કાનૂની મદદ માંગી
Sourav Ganguly-Jay Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:51 PM

IPL 2022માં 10 ટીમો રમવાનું BCCIનું સપનું ચકનાચૂર થઈ શકે છે. અમદાવાદની ફ્રેન્ચાઈઝી મેળવનાર કંપની CVC કેપિટલનો મામલો અટવાઈ ગયો છે. આ કંપનીની સટ્ટાબાજીની લિંક્સ સામે આવી છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. એવા અહેવાલ છે કે BCCIએ CVC કેપિટલનો મામલો ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાને મોકલ્યો છે. મહેતા BCCI ના વકીલ પણ છે. અંગેનો મીડિયા અહેવાલ સામે આવ્યો છે.

CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી. પરંતુ હજુ સુધી બીસીસીઆઈના લેટર ઓફ ઇંન્ટેટ પર તેમના વતી હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. CVC કેપિટલ એ અમેરિકન કંપની છે અને યુકેમાં તેની સટ્ટાબાજીની પેઢી છે. જો કે, સીવીસી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ કામ ગેરકાયદેસર નથી.

IPLના પૂર્વ કમિશનર લલિત મોદી સતત CVC કેપિટલને ફ્રેન્ચાઇઝી આપવાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ આ મામલે સતત BCCIને ઘેરી રહ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ BCCIને CVC અંગે સકારાત્મક માહિતી આપી છે. પરંતુ સાથે જ દરેક એંગલને જોવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડે અન્ય અભિપ્રાય માંગ્યો છે કે કેમ તે સ્પષ્ટ નથી. જો કે, આ બાબત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઘણા કાયદાકીય સલાહકારો આ કામમાં લાગેલા છે. ટૂંક સમયમાં જ વાતનુ સમાધાન નિકળશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિટેન્શન સમયગાળો એક અઠવાડિયા સુધી લંબાશે

દરમિયાન, એવું માનવામાં આવે છે કે જો આ બાબતમાં વિલંબ થાય છે, તો પહેલાથી અસ્તિત્વમાં છે તે આઠ ટીમોની રીટેન્શન તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી શકાય છે. અત્યારે ટીમોએ 30 નવેમ્બર સુધીમાં રિટેન્શન વિશે જાણ કરવાની રહેશે. અમદાવાદ અને લખનૌની ટીમોને રિટેન્શન અથવા નવા ખેલાડીઓની પસંદગી માટે પૂરતો સમય આપવા માટે આમ કરી શકાય છે. જો કે, અત્યાર સુધી બીસીસીઆઈ દ્વારા આ મામલે પહેલાથી અસ્તિત્વમાં રહેલી આઠ ટીમોને કોઈ સત્તાવાર સંદેશ મોકલવામાં આવ્યો નથી. હાલમાં, ટીમોએ 30 નવેમ્બર સુધીમાં જ તેમની રીટેન્શન સૂચિ સબમિટ કરવાની રહેશે.

દરમિયાન, અહેવાલ છે કે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમોએ લખનૌ ફ્રેન્ચાઇઝી અંગે બીસીસીઆઇને ફરિયાદ કરી છે. આ ટીમોનો આરોપ છે કે લખનૌના માલિકો તેમના ખેલાડીઓનો સંપર્ક કરી રહ્યા છે અને તેમને તેમની સાથે જોડાવા માટે લાલચ આપી રહ્યા છે. આ અંતર્ગત લખનૌ દ્વારા કેએલ રાહુલ અને રાશિદ ખાનને કથિત રીતે મોટી રકમનું વચન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Shardul Thakur Engagement: શાર્દૂલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી સાથે કરી સગાઇ, તસ્વીરો અને વિડીયો આવ્યા સામે

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">