AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ફાઇનલ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ ની છાવણી સૂમસામ બની ગઇ, આ કારણ થી KKR માં છવાઇ ગઇ નિરાશા

IPL 2021 ની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે ટક્કર છે. ચેન્નાઈએ 3 વખત અને કોલકાતાએ 2 વખત ખિતાબ જીત્યો છે.

IPL 2021: ફાઇનલ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ ની છાવણી સૂમસામ બની ગઇ, આ કારણ થી KKR માં છવાઇ ગઇ નિરાશા
Shahrukh Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 5:01 PM
Share

ઇન્ડીયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021 ) ની ફાઇનલ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર છે. ટાઇટલ માટે, એમએસ ધોની (MS Dhoni) ની સેના અને ઇઓન મોર્ગનના લડવૈયાઓ વચ્ચે સીધી લડાઈ છે. KKR અને CSK એ આ સિઝનમાં શાનદાર રમત દર્શાવી છે અને હવે બંને ટીમો અંતિમ મેચ માટે સજ્જ છે. જોકે, ફાઇનલ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના કેમ્પમાં એક અલગ નિરાશા જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ ફ્રેન્ચાઈઝીના માલિક અને બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shahrukh Khan) ને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

શાહરૂખે ટીમના ખેલાડીઓ સાથે વાત પણ નહોતી કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ સાથે અત્યાર સુધી વાત કરી નથી. એક રિપોર્ટ અનુસાર, KKR મેનેજમેન્ટ નિરાશ છે કે શાહરૂખ ખાન ફાઇનલ માટે દુબઇ નથી આવી રહ્યો. જો બધું બરાબર હોત, તો શાહરૂખ ખાન ચોક્કસપણે ફાઇનલ જોવા આવત અને દરેક ખેલાડી સાથે ખુદ વાતચીત કરતો. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન KKR ના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે, પરંતુ તેણે ખેલાડીઓથી અંતર રાખ્યું છે.

જણાવી દઈએ કે શાહરુખ ખાનનો પુત્ર આર્યન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીન મળવાના બાકી છે. હાલમાં, આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી આર્થર રોડ જેલમાં રહેશે. દીકરાની ધરપકડ બાદથી શાહરૂખ ખાને KKR ટીમ થી અંતર રાખ્યું છે અને આ જ કારણ છે, કે દરેક ખેલાડી અંતિમ મેચ પહેલા તેને મિસ કરી રહ્યો છે.

KKR નુ શાનદાર પ્રદર્શન

તમને જણાવી દઈએ કે IPL 2021 માં કેકેઆરનું પ્રદર્શન કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછું નથી. KKR એ ભારતમાં રમાયેલી 7 માંથી 5 મેચ હારી હતી પરંતુ દુબઇ લેગમાં આ ટીમે 7 માંથી 5 મેચ જીતી અને પછી એલિમિનેટર મેચમાં બેંગ્લોર અને ક્વોલિફાયર 2 માં દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી. જો KKR ની ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવે છે, તો તે ચોક્કસપણે શાહરુખ ખાનને થોડી ખુશી આપશે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે વિક્રમ સર્જીને રચી શકે છે ઇતિહાસ, જે દુનિયાના કોઇ કપ્તાન નથી કરી શક્યા એ આજે માહિ કરશે

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે આઇપીએલની અંતિમ મેચ રમશે ? કોલકાતા સામે ફાઇનલ પહેલા ચાહકોને થવા લાગી ચિંતા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">