IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે જીત્યા બાદ, ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે તેની ટીમ KKR સામે બહુ સારી રીતે રમતી નહોતી, પરંતુ તે પછી પણ જીત નોંધાવવી સુખદ લાગી રહી હતી. આ દરમ્યાન KKR ના કેપ્ટન ઇઓન મોર્ગને (Eoin Morgan) પણ સ્વીકાર્યું કે, બંને ટીમોએ સારી રમત બતાવી. જોકે તેણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ તેની પાસેથી મેચ છીનવી લીધી.
આ મેચમાં KKR એ છ વિકેટે 171 રન બનાવ્યા હતા. પરંતુ ચેન્નાઇએ અંતિમ બોલ પર લક્ષ્ય હાંસલ કર્યું અને બે વિકેટથી રોમાંચક જીત નોંધાવી. CSK ને છેલ્લી બે ઓવરમાં 26 રનની જરૂર હતી. આવા સમયે જાડેજાએ 19 મી ઓવરમાં 21 રન ફટકારીને ટીમને જીતના ઉંબરા પર લાવી હતી. IPL 2021 ફરી શરૂ થયા બાદ, ત્રણ મેચમાં ત્રણ જીત નોંધાવનાર ચેન્નાઈની ટીમ હવે પ્લેઓફની નિશ્વિત દાવેદારી પહોંચી ગઈ છે.
ધોનીએ મેચ બાદ કહ્યું કે, ‘આ એક શાનદાર જીત હતી. ક્યારેક તમે સારું ક્રિકેટ રમો છો અને તમે હારી જાવ છો. જ્યારે તમે સારુ રમતા નથી પણ જીત મેળવો છો, ત્યારે મજા આવે છે. બંને ટીમોએ સારું ક્રિકેટ રમ્યું અને દર્શકોએ તેનો આનંદ માણ્યો. અમે ટુકડાઓમાં સારી બોલિંગ કરી. ઝડપી બોલરો માટે તે સરળ નહોતું. અમે તેને ટૂંકા સ્પેલ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
170 નો સ્કોર મેળવી શકાયો હતો. જ્યારે જાડેજા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે બોલ સરળતાથી આવી રહ્યો હતો અને અટકતો ન હતો. અમે જે રીતે શરૂઆત કરી હતી તેમ છતાં, કેકેઆર વિજયની નજીક પહોંચ્યુ તે પ્રશંસાને પાત્ર છે. અમે ચિંતિત હતા કે વિકેટ કેવી હશે. વિકેટ પર રમતી વખતે, ક્યારેક ગ્રાઉન્ડસમેન વધારે પાણી ઉમેરે છે અને થોડું વધારે ઘાસ છોડી દે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેનો લાભ લઇ લેવો.
મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા, તેણે અંતિમ ઓવરો દરમ્યાન આઠ બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે કહ્યું કે કેટલાક અઠવાડિયા સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ ટૂંકા ફોર્મેટમાં પ્રદર્શન કરવું સહેલું નથી. જાડેજાએ કહ્યું, તે મુશ્કેલ છે. તમે પાંચ દિવસીય ક્રિકેટ રમી રહ્યા છો, પછી તમે મર્યાદિત ઓવરોમાં રમો છો. હું મારી બેટિંગ પર કામ કરી રહ્યો હતો. 19 મી ઓવરમાં બનાવેલા રનથી મેચ ફેરવાઈ ગઈ હતી. પરંતુ ઋતુરાજ (ગાયકવાડ) અને ફાફ (ડુ પ્લેસિસ) એ અમને સારી શરૂઆત આપી હતી.
કેકેઆરના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે, તેમની ટીમે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે કહ્યું, બંને ટીમોએ સારી બેટિંગ કરી હતી. અમે અમારી ટીમમાં ખામી શોધી શકતા નથી. ટુર્નામેન્ટનો બીજો તબક્કો અમારા માટે ઘણો સારો રહ્યો છે. અમે અમારા માટે જીતવાની તકો ઉભી કરી છે. જાડેજા એવુ જ રમે છે જેમ સેમ કરન ઈંગ્લેન્ડ માટે રમે છે. ત્યારે આવામાં તમારે ખાસ કંઇ કરવાનું નથી રહેતુ હોતુ.