IPL 2021: ધોનીએ આપેલુ વચન પાળી બતાવ્યુ, ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ શરમજનક સ્થિતીમાં હતી, એક વર્ષે વાયદો પૂરો કર્યો

IPL 2021 માં પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમ પ્રથમ ટીમ બની છે. આ એ જ ટીમ છે જે ગયા વર્ષે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી

IPL 2021: ધોનીએ આપેલુ વચન પાળી બતાવ્યુ, ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ શરમજનક સ્થિતીમાં હતી, એક વર્ષે વાયદો પૂરો કર્યો
MS Dhoni-Ravindra Jadeja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:23 AM

ગયા વર્ષે નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ આ વખતે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ના નેતૃત્વમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ફરી એક વખત તેના જૂના ફોર્મમાં પરત ફરી છે. ટીમે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વિજય સાથે IP 2021 પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની હતી. ધોની પોતાની ટીમના આ કમબેકથી ફુલ્યો નથી. મેચ બાદ તેણે પોતાની ટીમની ખૂબ પ્રશંસા કરી હતી.

ગયા વર્ષે યુએઈમાં રમાયેલી સિઝનમાં ચેન્નઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી. લીગના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે ચેન્નઈની ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી હતી. તે વખતે CSK પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી. જો કે, તે સ્થિતિમાં પણ ધોનીએ તેના ચાહકોને વચન આપ્યું હતું કે, તેની ટીમ આગામી સિઝનમાં પરત ફરશે. આ સિઝનની શરૂઆતથી જ ચેન્નાઈની ટીમ સારા ફોર્મ દેખાઇ અને ચાહકોને આપેલું વચન પૂર્ણ કર્યું. જે બાદ તેઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે.

ધોની ટીમના પ્રદર્શનથી ખુશ છે

કેપ્ટન ધોની પોતાની ટીમની સફળતાથી ઘણો ખુશ છે. મેચ બાદ તેણે કહ્યું, આનો (પ્લેઓફ સુધી પહોંચવાનો) ઘણો અર્થ થાય છે. કારણ કે છેલ્લી વખત મેચ બાદ મેં કહ્યું હતું કે, અમે મજબૂત રીતે પાછા આવવા માંગીએ છીએ. પાછલી વખતે અમારા પક્ષમાં બહુ બધુ નહોતું, તેથી બહાના ન બનાવવાનું મહત્વનું હતું. અમે તેમાંથી એક પાઠ શીખ્યા અને આ વર્ષે અમે જે કહ્યું તે કર્યું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આગળ કહ્ય, ખેલાડીઓએ ત્રણેય બાબતોમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) શાનદાર રમત દર્શાવી હતી. આ સિવાય, સંપૂર્ણ ક્રેડિટ સપોર્ટ સ્ટાફને પણ જાય છે. હું ચાહકો વિશે વધારે કહી શકતો નથી, તેઓ હંમેશા અમારી સાથે રહ્યા છે. અમને આનંદ છે કે અમે તેમના વિશ્વાસ પર ખરા ઉતર્યા છીએ.

ગુરુવારની મેચ વિશે વાત કરતા તેણે કહ્યું કે, આજનો ​​વિકેટ બાઉન્સ અલગ હતો. જલદી બેટ્સમેનો આ સમજી ગયા, તેઓએ સીધો ફટકારવાનો પ્રયાસ કર્યો અને સફળતા મળી. મેં બોલરોને કહ્યું કે, તેમણે પરિસ્થીતી અનુસાર બોલિંગ કરવી પડશે. તે એવી વિકેટ નહોતી કે જેના પર બોલ ઘણો ટર્ન લેતો હોય અથવા રોકાઇને આવતો હોય. બોલરોએ તેમની ગતિ અને લેંન્થ સારી રીતે બદલી. મેં મેચ પહેલા આવું જ કર્યું હતું અને તેણે પોતાની વ્યૂહરચના સારી રીતે ચલાવી હતી.

વિલિયમસને બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા

સનરાઇઝર્સના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે જો તેના બેટ્સમેનોએ જવાબદારી લીધી હોત અને સારા રન બનાવ્યા હોત તો પરિણામ અલગ હોત. વિલિયમ્સને કહ્યું, ‘અમે પૂરતા રન બનાવ્યા નહોતા. આમ છતાં, અમે મજબૂત લડત આપી. પાવરપ્લેના અંતે અમારો સ્કોર 40 રનની નજીક હતો. નીચલા મધ્યમ ક્રમના બેટ્સમેનોની મદદથી અમે સહેજ સન્માનજક સ્કોર સુધી પહોંચ્યા.

તેણે કહ્યું,’અમારે જોવું પડશે કે મેચ કેવી રીતે જીતવી. ચેન્નાઈએ સારી રમત રમી હતી પરંતુ અંતે અમે 10-15 રન પાછળ હતા. ફરીથી અમારા નામે જીત થઇ શકી નથી. જોશ હેઝલવુડે 24 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2021: ક્યારેક ઇરફાન પઠાણ તેનો ક્રશ હતો, તે આજકાલ આઇપીએલને લઇ ધમાલ મચાવી રહી છે, જુઓ તેની ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ Cricket: સફેદ કપડાની ક્રિકેટમાં મહિલા ક્રિકેટરોને માસિક ધર્મની ચિંતા પરેશાન કરી મુકતી હોય છે, કેવી રીતે કરે છે સમસ્યાનો સામનો?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">