છેવટે, જે થવાનું હતું તે થયું. ડેવિડ વોર્નર (David Warner) સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના રસ્તાઓ અલગ થઈ ચૂક્યા છે. તેમની વચ્ચેના મતભેદોએ અંતિમ સ્વરુપ લીધુ છે. અહેવાલ છે કે આ સિઝનમાં વોર્નર હવે સનરાઈઝર્સ માટે કોઈ મેચ રમશે નહીં. મીડિયા રિપોર્ટનુસાર, આ નિર્ણય ખેલાડી અને ફ્રેન્ચાઇઝી બંને દ્વારા પરસ્પર સહમતીથી લેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને વચ્ચેનો લાંબો સાથ હવે સમાપ્ત થયો છે.
આ સીલસીલાની ત્યારે જ શરૂઆત થઈ જ્યારે, ડેવિડ વોર્નરની હીરો થી ઝીરો થવાનીની વાર્તા IPL 2021 માં શરૂ થઈ હતી. વોર્નરે કેપ્ટન તરીકે સિઝનની શરૂઆત કરી હતી. પરંતુ પહેલા તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી. હવે સિઝનમાં બીજી વખત પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને મેદાન પર આવવાને બદલે હોટલના રૂમમાં રહેવાનું પસંદ કર્યું હતુ.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સીઝન માટે નવી હરાજી થવાની છે. તમામ ટીમો ફરી નવી શરૂઆત કરશે. છેલ્લી 2 સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તેથી, ઓરેન્જ આર્મીને પણ વધુ સારી ટીમ બનાવવાની તક મળશે. વોર્નર અને SRH નો સાથ સારો રહ્યો છે. પરંતુ અમારા માટે ફ્રેશ સ્ટાર્ટ કરવાનો સમય આવી ગયો છે.
આઈપીએલ 2021 ના પહેલા ભાગમાં પણ વોર્નર અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદના અહેવાલો આવ્યા હતા. આ બાબતે તે સમયે વેગ પકડ્યો હતો. જે બાદ વોર્નરને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને કેપ્ટનશિપ કેન વિલિયમસનને સોંપવામાં આવી હતી. હવે બીજા હાફમાં, સતત બે મેચમાં વોર્નરની નિષ્ફળતા પછી, જેસન રોયને ટીમમાં બદલવામાં આવ્યો. વોર્નર બીજા હાફની પ્રથમ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો જ્યારે બીજી મેચમાં માત્ર 2 રન બનાવ્યા હતા.
ડાબોડી ઓસ્ટ્રેલિયન ઓપનરે ખુદ પણ પોતે ટીમમાંથી બાકાત રાખવાના અને આ સિઝનમાં ન રમવાના સમાચારની પુષ્ટિ કરી હતી. રાજસ્થાન સામેની મેચના બીજા ભાગમાં વોર્નરને મેદાન પર ન મળતા તેના એક ચાહકે પૂછ્યું, વોર્નર સ્ટેડિયમમાં છે, અમે તેને જોયો નથી? વોર્નરે આ સવાલનો ચોંકાવનારો જવાબ આપ્યો. તેણે લખ્યું- “કમનસીબે હવે આવું નહીં થાય. પણ કૃપા કરીને સપોર્ટ કરતા રહો. વોર્નરના આ જવાબથી બધાને આશ્ચર્ય થયું.
When David Warner was asked by his fan to comback? He replied- pic.twitter.com/Ft9oO0C2T3
— Ratnadeep Sen (@ratna_deep_sen) September 27, 2021
રાજસ્થાન સામેની મેચ બાદ વોર્નરના મેદાનમાં ન આવવા વિશે પૂછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં હૈદરાબાદના કોચ ટ્રેવર બેલિસે કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે, અનામતમાં રહેલા યુવા ખેલાડીઓ મેદાન પર આવે અને મેચ જુએ. જેથી તેમને થોડો અનુભવ મળી શકે. આવનારી મેચોમાં પણ આવું જ જોવા મળશે.
Published On - 9:22 am, Tue, 28 September 21