કુલી નંબર 1 આ ફિલ્મ વિશે તો તમે જાણો છો, અને તેમાં અભિનેતા ગોવિંદાના અભિનયને પણ ખૂબ પસંદ કર્યો છે. આ ફિલ્મનુ નામ આજે પણ સામાન ઉંચો કરવાની સ્થિતીમાં મસ્તી દરમિયાન કુલી નંબર 1 તરીકે મજાક મસ્તીમાં લેતા હોય છે. હવે એક વિડીયો ભારતીય ટીમ ના ન્યુઝીલેન્ડ પ્રવાસની વન ડે ક્રિકેટ ટીમના સુકાની શિખર ધવનનો વાયરલ થયો છે. સામાન લઈને એરપોર્ટ પરથી બહાર નિકળી રહેલા યુઝવેન્દ્ર ચહલની તેણે ફિરકી લઈ લી છે. વિડીયોમાં જોવા મળી રહ્યુ છે કે, યુઝવેન્દ્ર ચહલ પોતાનો જ સામાન લઈને એરપોર્ટની બહાર બસ તરફ જઈ રહ્યો છે. પરંતુ શિખર ધવને તેનો મસ્તી ફર્યો જબરદસ્ત વિડીયો બનાવ્યો છે.
ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસે છે, જ્યાં ભારતીય ટીમ હવે પ્રવાસના અંતિમ તબક્કામાં પહોંચી છે. ભારતીય ક્રિકેટ ટીમ અંતિમ વન ડે રમ્યા બાદ સ્વદેશ પરત ફરશે. પરંતુ આ અંતિમ મેચ પહેલા ભારતીય ટીમના બોલર યુઝવેન્દ્ર ચહલનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. જેને શિખર ધવને રેકોર્ડ કર્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે. ગબ્બરે આ વિડીયોને યુઝવેન્દ્ર ચહલના સત્યના પર્દાફાશ તરીકે કહીને શેર કર્યો છે. જેના કારણે લોકો આ વિડીયોથી ખૂબ મજા લઈ રહ્યા છે.
એરપોર્ટની બહાર યુઝવેન્દ્ર ચહલ બહાર નિકળે છે એ સમયે હાથમાં સામાન લઈને જોવા મળે છે. તેના બંને હાથ વડે સૂટકેશને લઈ જતો જોવા મળે છે અને એક બેગ આ દરમિયાન પોતાના ખભા પર લટકાવેલી જોવા મળી રહી છે. જ્યારે ધનશ્રી એક બેગ લઈને બહાર આવી રહી છે. આમ શિખર ધવને બંનેની મસ્તી કરતા આ વિડીયો શૂટ કર્યો હતો અને જેમાં તે વાતની શરુઆત યુઝીના સત્યના પર્દાફાશ કહીને કરે છે. તો વળી અંતમાં ધનશ્રીની સાથે પણ વાત કરી યુઝીની ખૂબ ફિરકી લઈ રહ્યો છે.
ધવને પહેલા યુઝવેન્દ્રની સાથે વાત કરવાની શરુઆત કરીને તેની સાથે વાતચિત કરી પરંતુ ધનશ્રી સાથેની વાત વડે તો મસ્તીની મજાને ડબલ કરી દીધી હતી. શિખર ધવને યુઝીની પત્નિ ધનશ્રી કે જે તેની પાછળ આવી રહી છે તેની સાથે વાતચીત કરે છે અને સવાલ કરે છે કે આમ કેમ. જેના પર ધનશ્રીએ પોતાના પગમાં ઈજા હોવાનુ કારણ આગળ ધરે છે. જેને લઈ શિખર ધવને ધનશ્રીને કહે છે કે નાનકડી જાન છે એ (યુઝી) જેના પર ફરી ધનશ્રી ધવનને જવાબ આપતા રહે છે કે નાનકડી જાનને સ્ટ્રોંગ થવા દો.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામા રમાયેલા ટી20 વિશ્વકપ બાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ ખેડવા પહોંચી હતી. જ્યાં હાર્દિક પંડ્યાની આગેવાની ભારતીય ટીમે 3 ટી20 મેચોની શ્રેણી રમી હતી. જેમાં વરસાદે શ્રેણીની મજા ખરાબ કરી દીધી હતી. જોકે ભારતીય ટીમે શ્રેણી પર કબ્જો કરી લીધો હતો.
વન ડે શ્રેણીમાં પ્રથમ મેચ યજમાન ટીમ ન્યુઝીલેન્ડે જીતીને શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી હતી. જ્યારે બીજી વન ડે મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જેને લઈ ભારતીય ટીમે શ્રેણી જીતવાનુ સપનુ તૂટી ગયુ હતુ. ભારતે હવે અંતિમ મેચમાં શ્રેણી બરાબર કરવા માટેની લડાઈ લડવી પડશે. જે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી છે. આ માટે શિખર ધવનની આગેવાની વાળી ટીમ ક્રાઈસ્ટચર્ચ પહોંચી ચુકી છે.
Published On - 8:59 am, Tue, 29 November 22