IND vs NZ 3rd T20 Match Report:વરસાદના કારણે મેચ ટાઈ, ભારતે સિરીઝ પોતાના નામે કરી

|

Nov 22, 2022 | 5:01 PM

મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 મેચ વરસાદના કારણે ટાઈ રહી હતી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

IND vs NZ 3rd T20 Match Report:વરસાદના કારણે મેચ ટાઈ, ભારતે સિરીઝ પોતાના નામે કરી
:વરસાદના કારણે મેચ ટાઈ, ભારતે સિરીઝ પોતાના નામે કરી
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મંગળવારે વરસાદના કારણે ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ટાઈ રહી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ 1-0થી કબજે કરી લીધી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. આ પછી ભારતે બીજી મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી લીધી હતી. ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ લક્ષ્યનો પીછો કરતા ભારતે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી વરસાદ આવ્યો અને મેચ રમાઈ શકી ન હતી. અમ્પાયરોએ મેચ ટાઈ કરી હતી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ન્યૂઝીલેન્ડ તરફથી આ મેચમાં ડેવોન કોનવેએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 59 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સે 33 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આમ કીવી ટીમ જંગી સ્કોર સુધી જઈ શકી ન હતી.

પંત-કિશન નિષ્ફળ રહ્યા

ભારતની સામે ટાર્ગેટ બહુ મોટો ન હતો પરંતુ તેને સારી શરૂઆત મળી ન હતી. ઋષભ પંત અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી વહેલી પેવેલિયન પરત ફરી હતી. એડમ મિલ્નેએ બીજી ઓવરના છેલ્લા બોલ પર કિશન (10)ને આઉટ કર્યો હતો. પંત ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. તે માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. સાઉદીના બોલ પર શ્રેયસ અય્યર ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવ પણ માત્ર 16 રન બનાવી શક્યો હતો અને ઈશ સોઢીના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.

આ પછી હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડા પર ટીમને જીત અપાવવાની જવાબદારી હતી.  પરંતુ વરસાદ શરૂ થયો અને મેચ અટકાવી દેવામાં આવી હતી. ત્યારે પંડ્યા 30 અને હુડ્ડા નવ રન બનાવીને રમી રહ્યા હતા. અમ્પાયરોએ જોયું કે મેચ રમી શકાય તેવી સ્થિતિ નથી અને તેથી મેચ રદ કરવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડની ઇનિંગ્સ આવી રહી

ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ માટે કોનવે અને ગ્લેન ફિલિપ્સે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવી હતી.પરંતુ તે પછી યજમાન ટીમે માત્ર 30 રનમાં પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16મી ઓવરમાં બે વિકેટે 130 રન હતો પરંતુ અર્શદીપ (37 રનમાં 4 વિકેટ) અને સિરાજ (17 રનમાં 4 વિકેટ)એ શાનદાર પુનરાગમન કરીને હરીફ ટીમને બે બોલ બાકી રાખીને જ આઉટ કરી દીધી હતી.

એલન  LBW આઉટ થતાં અર્શદીપને ભારતની પ્રથમ વિકેટ મળી હતી.ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઝડપથી રન બનાવી રહ્યા હતા. બોલિંગમાં આવેલા ફેરફારથી તેમની આશા પર પાણી ફરી વળ્યું, સિરાજે માર્ક ચેપમેન (12 બોલમાં 12 રન)ને આઉટ કર્યો. બે ઓવરમાં 33 રન આપ્યા બાદ ભારતીય બોલરો શાનદાર રીતે પાછા ફર્યા અને પછીની ચાર ઓવરમાં માત્ર 17 રન જ આપ્યા. આ પછી ફિલિપ્સ આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વિખેરાઈ ગઈ. ફિલિપ્સ 16મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. આગામી ઓવરમાં કોનવે પેવેલિયન પરત ફર્યો હતો.

Next Article