ભારતીય ક્રિકેટમાં હજુ રિષભ પંતના પરફોર્મન્સ પર લોકોનું નિશાન છે. વાત માત્ર વનડે ક્રિકેટની કરીએ તો સૂર્યકુમાર યાદવની સ્ટોરી પણ રિષભ પંત જેવી છે. ક્રિકેટના આ ફોર્મેટમાં રિષભ પંતને ટક્કર આપતો જોવા મળી રહ્યો છે. મેચ બાય મેચ, સિરીઝ બાય સિરીઝ, તેનું ODI પ્રદર્શન નીચે જઈ રહ્યું છે અને ન્યુઝીલેન્ડમાં પણ આ જ વાતની માહોર લાગી રહી છે, જ્યાં સિરીઝ પૂરી થઈ ગઈ હતી પરંતુ સૂર્યકુમાર યાદવ બેટથી એક અડધી સદી દૂર હતો, આખી સિરીઝમાં 50 રન પણ બનાવ્યા ન હતા.
સૂર્યકુમાર યાદવે ન્યુઝીલેન્ડમાં રમાયેલી 3 વનડેની 3 ઈનિગ્સમાં માત્ર 48 રન બનાવ્યા છે. જેમાં નેપિયરમાં રમત પહેલા વનડેમાં તેના બેટમાંથી 6 રન આવ્યા છે. હેમિલ્ટન વનડે જે વરસાદના કારણે રદ્દ થઈ હતી. ત્યાં તે 34 રન પર અણનમ રહ્યો હતો. જ્યારે ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વનડેમાં તે માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.
વનડે ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ ફેલ થવાનું કારણ એ છે કે. તે છેલ્લી 7 ODI ઇનિંગ્સમાં 4 વખત સિંગલ આંકાડથી આઉટ થયો. આ દરમિયાન સૌથી મોટો સ્કોર 34 રનનો હતો. સૂર્યકુમાર યાદવના પ્રદર્શનના ગ્રાફ કઈ રીતે નીચે આવ્યો છે તેનો અંદાજો તમે તેના વનડે કરિયરમાં 2 ભાગમાં જોઈ શકો છો.
તેણે અત્યાર સુધીમાં 15 વનડે રમી છે જેમાં તેણે 34.36ની એવરેજથી 378 રન બનાવ્યા છે. આ દરમિયાન સદી દૂર હતી પરંતુ તેના બેટમાંથી 2 અડધી સદી ચોક્કસપણે દેખાઈ રહી હતી.
સૂર્યકુમાર યાદવે તેની કારકિર્દીની પ્રથમ 7 વનડેમાં 53.4ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા. તેણે તેની ODI કારકિર્દીમાં બનાવેલી 2 અડધી સદી પણ આ સમયગાળા દરમિયાન જ છે. ત્યારપછીની 8 વન-ડેમાં તેની બેટિંગ એવરેજ 16.7 પર આવી જાય છે. આ તબક્કામાં તેણે માત્ર 117 રન બનાવ્યા છે અને તેના બેટમાંથી એક પણ અડધી સદી નીકળી નથી.
સ્પષ્ટ છે કે, સૂર્યકુમાર યાદવનું બેટ ટી20 ઈન્ટરનેશનલમાં રનનો વરસાદ કરી રહ્યો હોય તેના સ્ટ્રાઈક રેટ આસમાન પર છે અને જે અડધી સદી અને સદી છે પરંતુ વનડે ક્રિકેટમાં સારું પ્રદર્શન નથી, સૂર્યકુમારનું પરફોર્મન્સ ક્રિકેટના આ ફોર્મેટમાં ચિંતાનો વિષય છે જો તેની રમત આવી જ રહી તો તેનું વનડે વર્લ્ડકપ પણ આ આધાર પર રમવું મુશ્કિલ છે.