AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 હવેથી ડબલિનમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ટાર્ગેટ જીત સાથે સીરિઝ પર કબજો કરવાનો રહેશે. આ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે.

IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 9:49 AM
Share

પ્રથમ T20 મેચ જીત્યા બાદ પણ ભારતીય ટીમ (Team India)માં ફેરફાર જોવા મળી શકે છે. ભારતે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ આયર્લેન્ડ (Ireland) સામેની પ્રથમ T20 2 રને જીતી હતી. આ સાથે તેણે 3 T20 શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. મતલબ હવે જો ટીમ ઈન્ડિયા બીજી T20 જીતી લેશે તો સીરિઝ કબજે કરી લેશે અને આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને, ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન (Playing 11)માં ફેરફાર કરવાના મૂડમાં છે.

8.75 ઈકોનોમીથી રન આપનાર બહાર થઈ જશે

હવે સવાલ એ છે કે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર થઈ શકે છે. તો આ બદલાવ બોલિંગમાં જોવા મળી શકે છે, જ્યાં પ્રથમ T20માં સૌથી વધુ રન આપનાર ખેલાડી બહાર થઈ શકે છે. અમે જે બોલરની વાત કરી રહ્યા છીએ તે ડેથ ઓવર્સમાં સૌથી વધુ રન આપનાર સાબિત થયો છે. તેણે અત્યાર સુધી તેની T20 કારકિર્દીમાં 3 વખત અંતિમ ઓવરમાં 20 કે તેથી વધુ રન આપ્યા છે. તે ખેલાડી છે અર્શદીપ સિંહ.

અર્શદીપ સિંહ મોંઘો સાબિત થયો

આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં ભારતે 6 બોલરો અજમાવ્યા હતા, જેમાં 4 બોલરોએ 4 ઓવરનો ક્વોટા ફેંક્યો હતો અને આ 4 બોલરોએ વિકેટ પણ લીધી હતી. અર્શદીપ સિંહ પણ તેમાંથી એક હતો, જેણે 1 વિકેટ લીધી હતી. જોકે, આ 1 વિકેટ માટે તેણે 8.75ની ઈકોનોમી સાથે રન ખર્ચવા પડ્યા હતા, જે સાબિત કરે છે કે તે બાકીના બોલરોની સરખામણીમાં સૌથી મોંઘા છે.

આવેશ કે મુકેશને મળશે તક?

અર્શદીપ સિંહે આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં 4 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી હતી. હવે શક્ય છે કે ટીમ ઈન્ડિયા બીજી T20માં અર્શદીપની જગ્યાએ આવેશ ખાન અથવા મુકેશ કુમારમાંથી કોઈ એકને તક આપે. ટીમની બેન્ચ સ્ટ્રેન્થને ચેક કરવા માટે આ પ્રકારના ફેરફાર ટીમ ઈન્ડિયા કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝથી લઈને આયર્લેન્ડ સુધી અર્શદીપને પોતાને સાબિત કરવા માટે પૂરતી મેચો મળી છે એવામાં અન્ય બોલરોને પણ તક મળવી જોઈએ.

આ પણ વાંચો : IND vs IRE: ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ ન કરી શક્યું એ કમાલ બુમરાહ કરશે!

11માંથી 10 ખેલાડીઓ બદલાશે નહીં!

ટીમમાં આ એક ફેરફાર સિવાય અન્ય કોઈ ફેરફારની કોઈ શક્યતા નથી. બેટિંગમાં ભારતીય ટીમ એ જ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે જે પ્રથમ T20માં રમતા જોવા મળ્યા હતા. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સ્ટ્રાઈક બોલિંગની કમાન સંભાળતા જોવા મળશે. બંને લાંબા સમય પછી પરત ફર્યા છે, આવી સ્થિતિમાં તેમને હજુ વધુને વધુ મેચો રમવાની જરૂર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
g clip-path="url(#clip0_868_265)">