ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) શુક્રવારે રાત્રે રમાયેલી પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ટીમ ભલે આ મેચ જીતી ગઈ હોય, પરંતુ ભારતના ભૂતપૂર્વ સિલેક્ટર અને કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત (Krishnamachari Srikkanth) આ જીત બાદ પણ ખુશ નથી અને તેણે ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. પ્લેઈંગ-11 પર સવાલ ઉઠાવતા શ્રીકાંતે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની વિચારસરણી ઈચ્છતો નથી. ભારતે 6 વિકેટ ગુમાવીને 190 રનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝ સામે ખડક્યો હતો. રોહિત શર્માએ શાનદાર અડધી સદી નોંધાવી હતી અને દિનેશ કાર્તિકે અંતમાં આક્રમક રમત રમી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતે આઠ વિકેટે 190 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન રોહિત શર્માએ 64 રનની ભાગીદારી કરી હતી. દિનેશ કાર્તિક 41 રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને 20 ઓવર રમ્યા બાદ આઠ વિકેટના નુકસાને 122 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
શ્રીકાંતનું કહેવું છે કે દીપક હુડાને પ્રથમ મેચમાં શ્રેયસ અય્યરની જગ્યાએ પ્લેઈંગ-11માં સ્થાન મળવું જોઈએ કારણ કે તે એક શાનદાર ઓલરાઉન્ડર છે અને ટીમને આવા ખેલાડીઓની સખત જરૂર છે. ફેન કોડ પર બોલતા શ્રીકાંતે કહ્યું, “હુડ્ડા ક્યાં છે? તેણે ટી20માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે વનડેમાં પણ સારો દેખાવ કર્યો હતો. તેણે ટીમમાં હોવું જોઈતું હતું. T20 માં તમારે સમજવું પડશે કે તમને ઓલરાઉન્ડર, બેટિંગ ઓલરાઉન્ડર, બોલિંગ ઓલરાઉન્ડરની જરૂર છે, તેથી તમારી પાસે જેટલા વધુ ઓલરાઉન્ડર હશે તેટલા સારા.”
શ્રીકાંતની સાથે ભારતના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા હતા અને તેમણે રાહુલ દ્રવિડનો બચાવ કર્યો હતો. પ્રજ્ઞાને કહ્યું, “રાહુલ ભાઈ માને છે કે જો કોઈ ખેલાડીએ ભૂતકાળમાં તમારા માટે સારું પ્રદર્શન કર્યું હોય તો તમારે તેને સપોર્ટ કરવો જોઈએ. તે પછી તમારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.”
પ્રજ્ઞાને આ વાત કહેતાં જ શ્રીકાંતે તરત જ તેને અટકાવ્યો અને જવાબ આપ્યો, “અમે રાહુલ દ્રવિડની વિચારસરણી નથી ઈચ્છતા. તમારા વિચારની જરૂર છે, હવે આપો. આના પર પ્રજ્ઞાને કહ્યું, “હુડ્ડા હોવો જોઈએ. દેખીતી રીતે.” શ્રીકાંતે કહ્યું, બસ તો વાત ખતમ.
Published On - 11:13 am, Sat, 30 July 22