IND Vs SL Match Preview: ટીમ ઈન્ડિયા 13 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરીને 5 વર્ષના દુષ્કાળને ખતમ કરવા આતુર

India vs Sri Lanka Asia cup 2023 Final : ભારત છેલ્લા પાંચ વર્ષમાં એકપણ મલ્ટી નેશન ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. વર્ષ 2018માં ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશીપમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. તે સમયે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો પરંતુ તેણે આ ટૂર્નામેન્ટમાં આરામ લીધો અને રોહિતે કેપ્ટનશીપ સંભાળી.

IND Vs SL Match Preview: ટીમ ઈન્ડિયા 13 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરીને 5 વર્ષના દુષ્કાળને ખતમ કરવા આતુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 10:01 AM

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપ-2023 ( Asia cup 2023)ની ફાઇનલમાં યજમાન શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે, પરંતુ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં શ્રીલંકા જે રીતે રમી હતી તે જોતા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા વર્તમાન વિજેતાને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. ગત વર્ષે શ્રીલંકાએ ટી-20 ફોર્મેટમાં રમાયેલા આ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું અને હવે તે સતત બીજી વખત આ ટ્રોફી ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યું છે,

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પરંતુ દાસુન શનાકાની કપ્તાનીમાં શ્રીલંકાની ટીમ પણ તે જાણે છે કે તેની સામે કેટલો મોટો પડકાર છે.ભારત અને શ્રીલંકા 2010 પછી પ્રથમ વખત એશિયા કપની ફાઇનલમાં ટકરાશે.

બંને ટીમો મુશ્કેલીમાં છે

જો કે આ ટાઈટલ મેચ પહેલા બંને ટીમોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે બંને ટીમના એક-એક ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. બાંગ્લાદેશ સામે ભારતના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલના હાથમાં બોલ વાગ્યો હતો અને તેથી તે ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓફ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Sydney News: ઓસ્ટ્રેલિયન ખેલાડીની ધરપકડના કેસમાં નવો વળાંક, ડ્રગ્સ ડીલ અંગે થયો મોટો ખુલાસો

હવે જોવાનું એ રહેશે કે સુંદર પ્લેઇંગ-11માં રમે છે કે નહીં. જો રોહિત અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ત્રણ સ્પિનરો સાથે રમવાનું નક્કી કરે તો સુંદરનું રમવાનું નિશ્ચિત છે. તે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે જોડી બનાવશે. શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર ​​મહિષ તિક્ષાના પણ ઈજાગ્રસ્ત થયા છે. તેને સ્નાયુઓમાં તાણની સમસ્યા છે. તેના સ્થાને સહન અરાચિગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ

ભારતીય ટીમ બેશક એશિયા કપની ફાઈનલ રમશે પરંતુ તેની નજર 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પર રહેશે. જો ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવામાં સફળ રહેશે તો વર્લ્ડ કપ પહેલા તેનું મનોબળ ઘણું વધી જશે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ ખતરનાક બની જશે. શ્રીલંકામાં પણ આવી જ સ્થિતિ છે. જો કે આ ટીમને બહુ મજબૂત માનવામાં આવતી નથી પરંતુ બધા જાણે છે કે આ ટીમ કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે.

સ્ટાર ખેલાડીઓ વાપસી કરશે

ભારતે બાંગ્લાદેશ સામેની સુપર-4ની છેલ્લી મેચમાં પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો, જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજના નામ સામેલ હતા. આ તમામની ફાઇનલમાં વાપસી થશે તે નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયા કયા કોમ્બિનેશન સાથે જાય છે તે જોવું રહ્યું.

બેટ્સમેન પર નજર

જ્યારે ભારત અને શ્રીલંકાની ટીમો છેલ્લી મેચમાં સામસામે આવી હતી ત્યારે યજમાન ટીમના લેફ્ટ આર્મ સ્પિનર ​​ડ્યુનિત વેલાલાગે ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે શુભમન ગિલ, રોહિત, વિરાટ, કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓની વિકેટ લીધી હતી. આ વખતે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો તેમની સામે શું તૈયારી કરે છે. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર રહી હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાની બેટિંગ પર પણ નજર રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">