AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: પાકિસ્તાની ક્રિકેટરને ટીપ્પણી કરવી ભારે પડી ગઇ, મુનાફ પટેલે એવો સણસણતો જવાબ આપ્યો કે બોલતી બંધ થઇ ગઇ!

પાકિસ્તાન (Pakistan)  ક્રિકેટ હાલમાં વિવાદો થી ઘેરાયેલી છે. કોચની સમસ્યા થી લઇને સુરક્ષાને મામલે ધ્યાન ભટકેલી હાલતમાં છે.

IND vs PAK: પાકિસ્તાની ક્રિકેટરને ટીપ્પણી કરવી ભારે પડી ગઇ, મુનાફ પટેલે એવો સણસણતો જવાબ આપ્યો કે બોલતી બંધ થઇ ગઇ!
Abdul Razzaq-Munaf Patel
| Updated on: Oct 07, 2021 | 2:56 PM
Share

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટી20 વિશ્વકપ (T20 World Cup) માં ટક્કર થનારી છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ જ નહી પરંતુ વિશ્વભરના ક્રિકેટ ફેન આ મેચને લઇને રાહ જોઇ રહ્યા છે. 24 મી ઓક્ટોબરે થનારા જંગ પહેલા જ જોકે બંને દેશના ક્રિકેટ ચાહકો અને પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો વચ્ચે સોશીયલ મીડિયા જંગ થઇ શરુ થઇ ચૂક્યો છે.

પાકિસ્તાની પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજાકે (Abdul Razzaq) એક મેચને લઇને પ્રતિક્રીયા આપી હતી. વળતા જવાબમાં મુનાફ પટેલે (Munaf Patel) ઇંટનો જવાબ પત્થર વડે આપ્યો હોય તેને ટ્રોલ કરી દીધો હતો.

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજાકે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી કે, ભારત પાસે પાકિસ્તાન જેટલા સારા પ્લેયર નથી, જેના કારણે તે અમારો મુકાબલો કરી શકશે નહી. જેને લઇને તેના પર અનેક લોકોએ પ્રતિક્રીયા તો આપી હતી. પરંતુ મુનાફ પટેલે તો તેને સણસણતો જવાબ આપ્યો હતો.

ભારતની વિશ્વકપ ટીમનો હિસ્સો રહી ચૂકેલા મુનાફ પટેલે સોશિયલ મીડિયા પર અબ્દુલ ને આ જવાબ આપ્યો હતો. તેણે જવાબમાં લખ્યુ હતુ કે જેટલા શતક વિરાટ કોહલી (Virat Kohli) ના ખાતામાં છે એટલા તો પાકિસ્તાાનની વર્તમાન ટીમના ખેલાડીઓની પાસે કુલ સરવાળે નથી.

આ માટે મુનાફે વિરાટ અને અબ્દુલની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે લખ્યુ કે, હવે આને શુ કહે કે, જેટલા શતક વિરાટ કોહલીના છે, તેટલા તો પાકિસ્તાનની ટીમના નથી. ક્યાં મગજ ચાલે છે આમનુ. મુનાફ ના આ તીખા તેવર જોઇને ભારતીય ક્રિકેટ ફેન પણ અબ્દુલની ઠેકડી ઉડાડવા લાગ્યા હતા. આમ અબ્દુલની શેખી પર તેને હકીકત સમજાવીને ટ્રોલ કરી દીધો હતો.

View this post on Instagram

A post shared by Munafpatel (@munafpatel13)

શક્તિશાળી વિરાટ અને ધોનીનુ સમીકરણ

વિરાટ કોહલી અત્યાર સુધીમાં 70 જેટલા આંતરરાષ્ટ્રીય શતક લગાવી ચુક્યો છે. વિરાટ કોહલીના પ્રદર્શનથી સૌ કોઇ જાણકાર છે અને તેની કેપ્ટનશિપનો પરિચય પણ વિશ્વભરમાં છે. તો વળી હવે એમએસ ધોની (MS Dhoni) પણ ટીમ ઇન્ડીયાનો મેન્ટર વિશ્વકપ ટીમ માટે છે. આમ આ બધા સમિકરણો મજબૂત ટીમ ઇન્ડીયાને વધુ તાકાતવર બનાવી રહી છે. જેની સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઇને વર્તમાન સમયમાં અઢળક વિવાદો ચાલી રહ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2021: કાશ્મીર એક્સ્પ્રેસ ઉમરાન મલિકે ઝડપી બોલ નાંખવાનુ સર્જ્યુ તોફાન, 153 થી વધુની ઝડપે બોલ નાંખી તોડ્યો ફરીથી રેકોર્ડ

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs PBKS: ચેન્નાઇ આજે હારનો સિલસિલો અટકવાવા પ્રયાસ કરશે, પંજાબ પણ મેદાનમાં આ કારણે આપશે ટક્કર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">