Twitter Video : રાયપુર ODIમાં ‘નિન્જા’ બન્યો રાહુલ દ્રવિડ, વાયરલ વીડિયો જોઈને ચાહકો થયા પરેશાન
ભારતે રાયપુરમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં જીત મેળવી હતી. આ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટીમના કોચ રાહુલ દ્રવિડ જોવા મળી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમે નવા વર્ષની જોરદાર શરૂઆત કરી છે. ટીમે પહેલા શ્રીલંકાને ODI સિરીઝમાં હરાવ્યું હતું અને હવે ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં પણ અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી જેમાં ભારતનો 12 રને વિજય થયો હતો. બીજી તરફ રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં તેણે 8 વિકેટે મોટી જીત નોંધાવી હતી. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીમના કોચ રાહુલ દ્રવિડ નિન્જા અવતારમાં જોવા મળી રહ્યા છે.
રાયપુરમાં, મોહમ્મદ શમીની આગેવાની હેઠળના ફાસ્ટ બોલરે મુશ્કિલ પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું કારણ કે ભારતે ન્યુઝીલેન્ડને 108 રનમાં આઉટ કરી દીધું. આ ટાર્ગેટનો પીછો કરતા ભારતે કેપ્ટન રોહિત શર્માના 51 બોલમાં 50 રન અને શુભમન ગિલના અણનમ 40 રન (53 બોલ)ની મદદથી 20.1 ઓવરમાં 111 રન બનાવીને જીત મેળવી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે રાહુલ દ્રવિડ મેદાન પર આવ્યો ત્યારે તેણે કંઈક એવું કર્યું જેને જોઈને કોમેન્ટેટર હર્ષા ભોગલે પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
— Guess Karo (@KuchNahiUkhada) January 22, 2023
રાહુલ દ્રવિડનો વીડિયો વાયરલ
મેચ બાદ રાહુલ દ્રવિડ ચાલતો ચાલતો મેદાન પર આવી રહ્યો છે. કેમેરાની નજર તેના પર હતી. દ્રવિડ મેદાન પર આવતા જ હાથથી કાંઈ અનોખો ઈશારો કરી રહ્યા હતા. એવી રીતે જેવી રીતે કોઈ નિન્જા કે પછી કોઈ માર્શલ આર્ટસના ખેલાડી કરે છે. દ્રવિડને જોઈ કોઈ સમજી શક્યું નહિ કે તે શું કહેવા માંગી રહ્યા હતા. તેના પર હર્ષ ભોગલે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેમણે દ્રવિડને જોઈ કહ્યું શું મને કોઈ આ ઈશારાનો મતલબ સમજાવી શકે છે.
આ પણ વાંચો : ‘માય ફ્રેન્ડ ગણેશા’ની અભિનેત્રી 21 વર્ષની થઈ, બોલ્ડનેસની બાબતમાં હિરોઈનોને આપે છે ટક્કર
રોહિતે બોલરોને આપ્યો જીતનો શ્રેય
રાયપુર વનડેમાં ભારતની જીતમાં રોહિત શર્માનો મહત્વનો રોલ રહ્યો છે. રોહિતે આ શ્રેય ટીમના બોલરને આપ્યો છે. તેમણે કહ્યું મને લાગ્યું કે, છેલ્લી પાંચ મેચમાં બોલરોએ જવાબદારી ઉઠાવી છે. અમે જે રીતે કહ્યું તેવું જ કર્યું , ખાસ કરીને ભારતમાં આવું કરવું મુશ્કિલ છે. તમે વિદેશમાં આવા પ્રદર્શનની આશા કરે છે પરંતુ ભારતમાં આવા પ્રદર્શન માટે વાસ્તવિક કૌશલની જરુરત છે. ભારત સિરીઝ જીતી ચૂક્યું છે તો શમીએ કહ્યું કે, ટીમ અનકૈપ્ટડ રજત પાટીદાર અને ઉમરાન મલિકને મંગળવારના રોજ ઈન્દોરમાં રમાનારી ત્રીજી અને છેલ્લી ફાઈનલમાં તક મળી શકે છે.