IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલા બોલરોએ કરી ભૂલ, પછી બેટિંગમાં સ્ટાર ફ્લોપ, જાણો હારનુ કારણ

|

Jan 28, 2023 | 9:37 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 21 રનથી મેચ ગુમાવી હતી અને કિવી ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી.

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલા બોલરોએ કરી ભૂલ, પછી બેટિંગમાં સ્ટાર ફ્લોપ, જાણો હારનુ કારણ
New Zealand beat India in 1st t20 match

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની શરુઆત થઈ છે. જેની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. સિરીઝની પ્રથમ મેચ ભારતે 21 રનથી ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનુ ટી20 સિરીઝમાં સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટોસ હારીને બેટિંગ કરતા કિવી ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુક્શાને 177 રનનુ લક્ષ્ય ભારત સામે રાખ્યુ હતુ. જે ટાર્ગેટ ચેઝ કરવા થી ભારતીય ટીમ 21 રન દૂર રહી ગઈ હતી. 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં ભારતે 155 રન બનાવ્યા હતા.

ભારત સામે સિરીઝની પ્રથમ મેચ જીતી લઈને ન્યુઝીલેન્ડ હવે 1-0ની લીડ મેળવી ચુક્યુ છે. લખનૌમાં રમાનારી બીજી ટી20 મેચ જીતવી ભારત માટે જરુરી બની ગઈ છે. શ્રેણી બચાવવાના પ્રેશર હેઠળ લખનૌમાં ભારતે દમ દેખાડી સિરીઝ બરાબર કરવી પડશે. લખનૌમાં ભારતની જીત થાય તો અમદાવાદમાં રમાનારી અંતિમ ટી20 મેચ નિર્ણાયક બનશે.

આવી રહી મેચ

ટોસ હારીને મેદાને ઉતરતા ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોન્વે આક્રમક તેવર શરુઆતથી જ બતાવ્યા હતા. કોન્વેએ અડધી સદી ફટકારતા 52 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ડેરેલ મિશેલે ધમાલ મચાવતી ઈનીંગ રમી હતી. તેણે તોફાની 59 રન અંતમાં નોંધાવ્યા હતા. તેણે ભારત સામે ટાર્ગેટ વધારવાનુ કામ કર્યુ હતુ. 5 છગ્ગા સાથેની તેની ઈનીંગમાં 3 સળંગ સિક્સર અર્શદીપ સિંહની ઓવરમાં લગાવ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે તોફાની અડધી સદી નોંધાવી હતી. સુંદરે 25 બોલમાં 50 રન પુરા કર્યા હતા. સૂર્યકુમાર યાદવ અડધી સદી ચૂક્યો હતો. તે 47 રન નોંધાવીને પરત ફર્યો હતો. ભારતીય ઓપનીંગ જોડી ફરી એકવાર ફ્લોપ રહી હતી. ઈશાન કિશન અને શુભમન ગિલ સસ્તામાં પરત ફર્યા હતા ભારતે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

આ રહ્યા હારના મુખ્ય કારણો

  • બોલિંગમાં નિષ્ફળ રહ્યા. સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવર કરી અને તેણે રન લુટાવવાની શરુઆત કરી દીધી હતી. હાર્દિકે 3 ઓવરમાં 33 રન ગુમાવ્યા. ઉમરાન મલિકે એક જ ઓવર કરીને 16 રન લુટાવી દીધા હતા. તેને આ કારણથી ફરી મેચમાં ઓવર કરવા મોકો ના અપાયો. અર્શદીપે સૌથી વધારે નિરાશ કર્યા. તેણે 4 ઓવરના સ્પેલમાં 51 રન ગુમાવ્યા. અંતિમ ઓવરમાં નો બોલ કર્યો હતો અને ફ્રિ હિટ સહિત સળંગ ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો સહ્યો
  • ડેથ ઓવર્સમાં મિશેલને રોકવામાં ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા. તેણે તોફાની અડધી સદી પુરી કરવા સાથે ટાર્ગેટ વધારવાનુ કામ કર્યુ જે ભારતને માટે મુશ્કેલ રહ્યુ. અંતિમ 5 ઓવરમાં ભારતીય બોલરોએ 59 રન ગુમાવ્યા હતા.
  • ભારત માટે 177 રનનુ લક્ષ્ય આસાન હતુ, પરંતુ ટીમ ઈન્ડિયાની શરુઆત ફરી એકવાર ટી20 ક્રિકેટમાં ખરાબ રહી હતી. ઓપનરોએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી. ઈશાન કિશન 4 રન અને ગિલ 7 રન બનાવીને પરત ફર્યા હતા.
  • મહત્વની પાર્ટનરશિપ ના થઈ શકી. સૂર્યકુમાર યાદવે આ પ્રયાસ કર્યો હતો. તેમાં હાર્દિક પંડ્યાએ 21 રનનુ યોગદાન આપ્યુ અને બંને વચ્ચે 68 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. જોકે સૂર્યાની વિકેટ ગુમાવતા જ ટીમ મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થવા લાગી રહી હતી.
  • ન્યુઝીલેન્ડની ટીમનુ સુકાન વર્તમાન સિરીઝમાં સંભાળી રહેલા મિશેલ સેન્ટરને ભારતીય બેટરોને બાંધી રાખવા માટેનો પ્રયાસ કર્યો હતો. સૂર્યકુમાર યાદવ સામે તેણે મેડન ઓવર નિકાળી હતી. સેન્ટનરે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 11 રન જ ગુમાવ્યા હતા.

 

 

Published On - 9:27 am, Sat, 28 January 23

Next Article