ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારના રોજ ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાશે. સિરીઝમાં 1-0થી આગળ ન્યુઝીલેન્ડનો પ્રયત્ન સિરીઝ પર કબ્જો મેળવવાનો રહેશે. જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપ વાળી ટીમનો પ્રયત્ન છેલ્લી મેચને જીતમાં ફેરવવાનો રહેશે. ન્યુઝીલેન્ડે પ્રથમ વનડે 7 વિકેટથી જીતી સિરીઝમાં લીડ મેળવી હતી,પરંતુ વરસાદના કારણે બીજી વનડે રદ થઈ હતી. જેનાથી ભારતને નુકસાન થયું હતુ. ભારતને સિરીઝ જીતવાની આશા પણ પાણી ફર્યું હતુ. હવે ભારતીય ક્રિકેટ ટીમનો પ્રયત્ન ત્રીજી મેચ જીતી સિરીઝમાં બરાબરી કરવા પર રહેશે. આ પહેલા ભારતે 3 મેચની ટી20 સિરીઝ 1-0ના અંતરથી જીતી હતી.
હેગ્લે ઓવલના મેદાનની વાત કરીએ તો ભારતે આ મેદાન પર અત્યારસુધી એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લી વખત 2020માં અહિ ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. ન્યુઝીલેન્ડનું પલડું આ મેદાન પર ખુબ ભારે છે.યજમાને આ મેદાન પર 11માંથી 10 મેચ જીતી હતી.
ક્યાં ક્યારે અને કઈ રીતે જોઈ શકશો મેચ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી મેચ 30 નવેમ્બર, બુધવારના રોજ રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ODI સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને ટોસ સવારે 06:30 વાગ્યે થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ODIનું લાઈવ પ્રસારણ DD Sports પર થશે.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઈમ પર જોઈ શકાશે.
Published On - 3:37 pm, Tue, 29 November 22