IPLમાં ઈતિહાસ રચનાર ખેલાડી હવે ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવશે, દિગ્ગજ ક્રિકેટરનો દાવો

ટીમ ઈન્ડિયાને હવે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે 20 જૂનથી શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમોના ખેલાડીઓ સારું પ્રદર્શન કરવા તૈયાર છે, પરંતુ તે પહેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે ટીમ ઈન્ડિયાના એક યુવા બેટ્સમેન વિશે મોટું નિવેદન આપ્યું છે.

IPLમાં ઈતિહાસ રચનાર ખેલાડી હવે ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવશે, દિગ્ગજ ક્રિકેટરનો દાવો
Sai Sudarshan
Image Credit source: Getty Images
| Updated on: Jun 09, 2025 | 3:15 PM

ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે 20 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં આ બંને ટીમોના ખેલાડીઓ સારું પ્રદર્શન કરવા તૈયાર છે, પરંતુ તે પહેલાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે ટીમ ઈન્ડિયાના એક યુવા બેટ્સમેન સાઈ સુદર્શન વિશે મોટું નિવેદન આપ્યું છે.

માઈકલ ક્લાર્કે સાઈ સુદર્શનની પ્રશંસા કરી

ક્લાર્કે કહ્યું કે મારા માટે આ યુવાન ખેલાડી સુપરસ્ટાર છે. મારું માનવું છે કે સાઈ સુદર્શન ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરે. મને લાગે છે કે જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે તે ભારતની T20 અને ODI ટીમમાં બેટિંગ ખોલતો જોવા મળશે. હાલમાં તે તેમની ટેસ્ટ ટીમમાં છે. તેને ઈંગ્લેન્ડમાં પહેલી તક મળી છે.

ત્રીજા નંબરે પર બેટિંગની આપી સલાહ

ભૂતપૂર્વ ખેલાડીએ વધુમાં કહ્યું કે તેની બેટિંગ ટેકનિક અદ્ભુત છે અને તે માનસિક રીતે પણ સંપૂર્ણપણે તૈયાર છે. તેણે મને ખૂબ પ્રભાવિત કર્યો છે અને એક ખેલાડી તરીકે તે શાનદાર ફોર્મમાં પણ દેખાઈ રહ્યો છે. તેણે IPLમાં 700 થી વધુ રન બનાવ્યા છે અને તે હાલમાં શાનદાર ફોર્મમાં છે.

નંબર 3 માટે કરુણ નાયર પણ દાવેદાર

સાઈ સિવાય કરુણ નાયર પણ નંબર 3 પર બેટિંગ માટે દાવેદાર છે. ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ સામે નંબર 3 પર બેટિંગ કરતી વખતે તેણે બેવડી સદી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડના એક પણ બોલરને છોડ્યો નહીં. હવે નંબર 3 પર બેટિંગ મુદ્દે યુદ્ધ સાઈ સુદર્શન અને કરુણ નાયર વચ્ચે સ્પર્ધા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કયો ખેલાડી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

IPL 2025માં સાઈ સુદર્શને મચાવી ધમાલ

IPL 2025માં સાઈ સુદર્શને ગુજરાત ટાઈટન્સ માટે ઓપનિંગ કરી અને 15 મેચમાં 759 રન બનાવ્યા. જોકે માઈકલ ક્લાર્કના મતે, સુદર્શને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ત્રીજા નંબરે બેટિંગ કરવી જોઈએ, પરંતુ કરુણ નાયરને આ ક્રમમાં બેટિંગ કરવાનો વધુ અનુભવ છે.

આ પણ વાંચો: RCB વિકટ્રી પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ મામલે KSCAના સેક્રેટરી અને ટ્રેઝરરે રાજીનામું આપ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:54 pm, Sat, 7 June 25