ENG vs IND: Rohit Sharma એ ટીમ ઈન્ડિયાની મોટી જીતનો શ્રેય આ ખેલાડીને આપ્યો, ઈંગ્લેન્ડના વખાણમાં કહી મોટી વાત

|

Jul 10, 2022 | 8:06 AM

Cricket : ભારતે T20 શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું. મેચ બાદ રોહિત શર્માએ ઈંગ્લેન્ડના વખાણ કર્યા હતા.

ENG vs IND: Rohit Sharma એ ટીમ ઈન્ડિયાની મોટી જીતનો શ્રેય આ ખેલાડીને આપ્યો, ઈંગ્લેન્ડના વખાણમાં કહી મોટી વાત
Rohit Sharma (PC: Twitter)

Follow us on

બર્મિંગહામ T20 મેચ (T20 Cricket) માં ભારતે ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા (Team India) એ 49 રને જીત મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 0-2 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મેચ બાદ ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ઈંગ્લેન્ડના ખેલાડીઓના વખાણ કર્યા હતા. તેણે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના પણ વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયા માટે જાડેજાએ 46 રનની અણનમ ઈનિંગ રમી હતી. ભારતે બીજી મેચમાં 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

રોહિત શર્માએ કર્યા ઇંગ્લેન્ડના વખાણ

સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ઈંગ્લેન્ડની પ્રશંસા કરતા કહ્યું કે, અમે જાણીએ છીએ કે ઈંગ્લેન્ડની ટીમ માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ કેટલી સારી છે. જ્યારે તમે જીતો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે. તે વધુ સારું લાગે છે. હું ખરેખર જોવા માંગુ છું કે પ્રથમ જીત બાદ અમે કેવું પ્રદર્શન કરીએ છીએ.”

અમે બેન્ચ સ્ટ્રેન્થને પણ તક આપીશુંઃ રોહિત શર્મા

રવિન્દ્ર જાડેજા અને બેન્ચ સ્ટ્રેન્થનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું, “અમે ઈચ્છતા હતા કે કોઈ બેટિંગ કરે અને રન બનાવે. જાડેજા શાંત રહ્યો અને અંતમાં સારું પ્રદર્શન કર્યું. અમે પાવરપ્લેનું મહત્વ સમજીએ છીએ. પછી તે રન બનાવવાનું હોય કે વિકેટ લેવાનું. અમે હવે અન્ય એક મેચની રાહ જોઈ રહ્યા છીએ. અમે બેન્ચ સ્ટ્રેન્થને પણ તક આપીશું.”

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ભારતે બીજી ટી20 મેચ જીતી સીરિઝ પર કબજો કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ટી20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતે બીજી મેચને શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) શરુઆતને બંને મેચ લક્ષ્ય બચાવીને જીત મેળવવામાં સફળતા મેળવી છે. ભારતે બીજી ટી20માં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 170 રનનો સ્કોર 8 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. એક બાદ એક ભારતીય બેટ્સમેનો પેવિલિયન પરત ફરવાનો સિલસિલો જાળવતા ભારત માટે મુશ્કેલીથી આ સ્કોર નોંધાવવામાં સફળ રહ્યુ હતુ. પરંતુ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશીપમાં વધુ એક ટી20 મેચ જીતવામાં સફળતા મળી હતી અને સાથે જ સિરીઝમાં અજેય રહી ટ્રોફી હવે પોતાને નામ કરી લેવામાં ભારત સફળ રહ્યુ છે.

Next Article